________________
SYST) સત્સંગ-સંજીવની ()
જે આઇ શરણ હી હોત પ્રાપત, પાપ તિન તનકો હરે, પુનિ ફરે બદલે ઘાટ ઉનકો, જીવ તે બ્રહ્મ હી કરે, કછુ ઉંચ ન દૃષ્ટિ જિનકો, સકલકો વિશ્રામ હૈ, દાદુ દયાળ પ્રસિધ્ધ તાઇ મોરે પ્રણામ છે.
સં ૧૯૫૫, માગસર વદ ૧ શત્રુ હિન મિત્ર કોઉં, જાકું સબ હૈ સમાન, જેહ કો મમત્વ છોડી આત્મા હી રામ હૈ, રિધ્ધિ ઔર સિધ્ધિ જાકે, હાથ જોડી આગે રહી ખડી, સુંદર કહત તાકે સબહી ગુલામ હૈ. અધિક પ્રશંસા મેં તો, કિવિધ કરી શકું, તુમ ગુરૂદેવકું, અમારો જા પ્રણામ હૈ.
હે અપ્રતિબંધિનાથ ! સુનજરે આ દયામણા બાળકને નિહાળશો. હે બાપાજી ! શ્રી ઇડર ક્ષેત્રેથી આપનો લખેલ પત્ર પ્રાપ્ત થયા પછી આ પત્ર ઘણાં વિલંબે લખવાનું કારણ સિરનામું અંબાલાલભાઇ પાસેથી મંગાવ્યું. માટે હે દેવ, ક્ષમા ઇચ્છું છું. આ જગતમાં તમારા શરણા સમાન બીજું કોઇ હિતકારી ભાસતું નથી. છતાં હે દયાળુ દેવ ! વિષયથી આ જીવ કેમ ઉપરાંઠો નહીં થતો હોય ? હે સર્વજ્ઞ ભગવાન્ ! તમને પરમ વૈદ્યરૂપ જાણી મારી નાડી.....મારી પ્રકૃતિ ચરણમાં પડી વિદિત કરું છું. ગુરૂકારીગર સારીખા, વચન ટાંકણો માર, પથ્થરકી પ્રતીમા કરે, પૂજા લહે અપાર. હે દયાળુ દેવ ! હે મારા નાથ, હે પરમાર્થી ! હે માવતર ! હે પરમ ઇષ્ટ દેવ ! શ્રી ખેડા ક્ષેત્રે પરમ કૃપા કરી અપરાધી સેવકને શિખામણ પરહિતાર્થે આપી, અનુબંધ દયા સિધ્ધ કરી. તે સ્મરણ કરતાં આ ગુલામ ઉલ્લાસમાન થાય છે. હે પ્રભુજી ! હે દેવાધિદેવ ! પતિતને પણ તમારાં દર્શન અતિ અતિ દુર્લભ છે. છતાં મને સમાગમ સાથે અમૂલ્ય કૌસ્તુભરત્ન કરતાં પણ વિશેષ ગણવા સરખા શ્રીમુખ વચનની પ્રાપ્તિ થઇ. હે ભગવાન ! પુનઃ પુનઃ નમસ્કાર કરૂ છું. હે નાથ ! આ ગુલામને ન્યાલ કરનાર તમે જ છો. હે બાપાજી ! મુક્ત કરો, મુક્ત કરો. ગમે તેમ થોઓ, ગમે તો પ્રિય વસ્તુનો વિયોગ થાવ પણ તમારા ઉપર પરમગ્નેહમાં વૃદ્ધિ પામો એવી દશા આપજો.
પદ : -
‘પાપ કર્તા પાછું નવ જોયું, હરીનું નામ હું તો ભૂલ્યો રે, દૂર્જનની સંગત મેં કીધી, દેવાળાથી ડૂલ્યો રે.’
હે ભગવાન ! ગરીબ દાસની ખબર રાખી આ અપાર સંસાર સમુદ્રથી તારવા એક તુંજ સમર્થ છો એમ આ Æય કબુલ કરે છે.
શ્રી આદિજિન વિનતી – ‘સમર્થ છો તમે સ્વામિ, જગત તારણ ભણી, તો હવે મુજ વેળા કેમ ? આનાકાની ઘણી.’ હે ત્રણલોકના નાથ ! પ્રથમના સમાગમે હું અમ વિચારતો જે બાપાજીનો સમાગમ વેલા થતાં જે આવરણો આવ્યાં તે ન આવ્યાં હોત તો કેટલી દશાને યોગ્ય થયો હોત. લિઃ મગન કાળુના નમસ્કાર.
આ પત્ર-૯૮
મહા વદ ૧૦, ૧૯૫૫ હે ત્રણ લોકના ઇશ્વર ! અનંત અનુકંપાથી આ દીનનું હિત થવા અપૂર્વ ઉપદેશ શ્રી અમદાવાદ ક્ષેત્રે આપ્યો તે બદલ અહોનીશ હે ભગવંત ! તમને વંદના ઇચ્છું છું.
આ કંગાળ તે જેમ ભાગ્ય વિનાના મનુષ્યને ચિંતામણીની યોગવાઇ બન્યથી ઓળખાણ વિના વ્યર્થ કરે
૯૯