SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અતીતાદિવ્યવહાર આકાશ અતીતાદિવ્યવહાર દિશા - તાદાભ્ય જે અતીતાદિવ્યવહાર કાલ. સમવાય - દેશિક - - તાદાભ્ય વાચ્યતા - આકાશ /- તાદાભ્ય | દિશા કાલ આમ વાચ્યતાસંબંધથી અતીતાદિ વ્યવહારરૂપ કાર્યમાં રહેલી કાર્યતાથી નિરૂપિત તાદામ્ય સંબંધાવચ્છિન્ન કારણતાવાળો કાલ જ બનશે. તેથી ઘટપદાર્થ, આકાશ અને કંઠ-તાલું સંયોગમાં હવે અતિવ્યાપ્તિ આવશે નહીં. | દિવ્ય - નિરૂપણ मूलम् : प्राच्यादिव्यवहारहेतुर्दिक् । सा चैका नित्या विभ्वी च ॥ પ્રાચ્યાદિ વ્યવહારનું જે કારણ છે તેને દિશા કહેવાય છે. એ પણ (કાલની જેમ) એક, નિત્ય અને વિભુ છે. વિશેષાર્થ : * દિશાનું અસ્તિત્વ છે : “આ પૂર્વ દિશા છે', ‘આ પશ્ચિમ દિશા છે' આદિ જગમાં જે વ્યવહાર થાય છે તથા “આ દૂર છે”, “આ નજીક છે” એવી દૈશિક પરાપરત્વની બુદ્ધિ થાય છે. તેના કારણ તરીકે નૈયાયિક દિશાને માને છે. * દિશા એક જ છે : જો દિશાને એક ન માનીએ તો પૂર્વ દિશામાં હંમેશા પૂર્વ દિશાનો જ, પશ્ચિમ દિશામાં હંમેશા પશ્ચિમ દિશાનો જ વ્યવહાર થવો જોઈએ, પરંતુ એવું થતું નથી. દા.ત. - સુરત, મુંબઈની અપેક્ષાએ ઉત્તર દિશામાં છે તથા અમદાવાદની અપેક્ષાએ દક્ષિણ દિશામાં છે. તેથી દિશાના પૂર્વ, પશ્ચિમ વગેરે જે ભેદો છે તે પણ કાલના ભેદોની જેમ માનસિક કલ્પના છે. વસ્તુતઃ “દિશા એક જ છે.” તથા દિશામાં નિયત્વ અને વિભુત્વ કાલની જેમ સમજવું. (ચ) કિશો નક્ષUTHદ - પ્રતિ ૩યારત્નનિહિતા થા વિહસ પ્રાવી . अस्ताचलसन्निहिता या दिक् सा प्रतीची । मेरोः सन्निहिता या दिक् सोदीची । मेरोर्व्यवहिता या दिक् साऽवाची ॥ આ ન્યાયબોધિની ક (સૂર્યોદય વગેરે ઉપાધિના કારણે દિશાના નાના ભેદો આ પ્રમાણે જાણવા-સૂર્ય જે તરફ ઉદય પામે છે તેની નજીકની દિશાને પૂર્વ દિશા કહેવાય છે, સૂર્ય જે તરફ અસ્ત પામે છે તેની નજીકની દિશાને પશ્ચિમ દિશા કહેવાય છે, મેરુ પર્વતની નજીકની દિશાને ઉત્તર દિશા
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy