SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. અને તાલ્વાદિનો સંયોગ પણ છે. પરંતુ લક્ષણમાં “વિમુત્વ' પદના નિવેશથી કંઠતાલ્વાદિના સંયોગમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે કંઠતાલ્વાદિનો સંયોગ વિભુ” નથી. તેથી કાલનું લક્ષણ આ પ્રમાણે થશે - “વિમુત્વે સતિ અતીતાદ્રિવ્યવહારનમિત્તજરિત્વમ્' વિશેષાર્થ : * આટલું લક્ષણ કરવા છતાં પણ ઇશ્વર અને દિશામાં કાલનું લક્ષણ જતું રહેશે. કારણ કે વાવ કાર્ય પ્રતિ ઇશ્વર અને દિશા નિમિત્તકારણ છે અને વિભુ પણ છે. જયારે અસાધારણ પદના નિવેશથી લક્ષણ ઇશ્વરાદિમાં નહીં જાય. કારણ કે ઇશ્વરાદિ, અતીતાદિ વ્યવહારનું સાધારણ નિમિત્તકારણ છે. તેથી કાલનું નિર્દષ્ટ લક્ષણે આ પ્રમાણે થશે – “વિમુત્વે સતિ સતીતાતિવ્યવહારનાધારનિમિત્તારપૂર્વમ્' અથવા તો “વીતાસંવંધાજીન–અતીતાવ્યિવહારત્વીવચ્છિન્નહાર્યતાનિરૂપિતતીવાભ્યસંવંથાવચ્છિનાર તાવન્દ્ર ત્રિસ્ય નક્ષણમ્' આ પ્રકારે કાલનું લક્ષણ કરવાથી કોઈ દોષ નહીં આવે, અને વિભુત્વાદિનો પણ નિવેશ કરવાની જરૂર રહેશે નહીં. તે આ પ્રમાણે – “વ્યવહાર પ્રતિ વ્યવહર્તવ્ય રમ્' અર્થાત્ “શબ્દપ્રયોગ પ્રતિ પદાર્થ કારણ છે આ નિયમથી “અતીતકાલનો આ ઘટ છે” એવા શબ્દપ્રયોગ પ્રતિ ઘટ પદાર્થ પણ કારણ કહેવાશે. આમ કાલનું લક્ષણ ઘટાદિ પદાર્થમાં જવાથી અતિવ્યાપ્તિ આવે છે. પરંતુ જો ઉપરોક્ત કાલનું લક્ષણ કરશું તો આ આપત્તિ નહીં આવે કારણ કે જેવી રીતે ઘટશબ્દ સમવાયસંબંધથી આકાશમાં, કાલિકસંબંધથી કાલમાં, દૈશિકસંબંધથી દિશામાં રહેશે. પરંતુ ઘટશબ્દથી વાચ્ય તો ઘટપદાર્થ જ છે તેથી વાતાસંબંધથી ઘટપદ એ ઘટપદાર્થમાં જ રહેશે. અર્થાત્ વાચ્યતાસંબંધથી ઘટપદનું કારણ ઘટપદાર્થ જ બનશે. (કાર્ય) ઘટવ્યવહાર આકાશ (કારણ) ઘટવ્યવહાર કાલ 4 - તાદાભ્ય સમવાય – કાલિક – - તાદાભ્ય આકાશ કાલ ઘટવ્યવહાર દિશા ઘટવ્યવહાર ઘટ દેશિક - - તાદાભ્ય - તાદાભ્ય વિાધ્યતા - દિશા ઘટ તેવી રીતે અતીતાદિવ્યવહારાત્મક શબ્દપ્રયોગ સમવાયસંબંધથી આકાશમાં, દેશિકસંબંધથી દિશામાં રહેશે. પરંતુ અતીતાદિપદથી વાચ્ય તો કાલ જ છે. તેથી વાચ્યતાસંબંધથી અતીતાદિ શબ્દ એ કાલમાં જ રહેશે અર્થાત્ વાચ્યતાસંબંધથી અતીતાદિ શબ્દનું કારણ કાલ જ બનશે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy