SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સંબંધથી તો રૂપ પૃથિવીમાં રહે છે. જ્યારે સમવાયસંબંધથી રૂપનો અભાવ વાયુમાં મળશે અને ત્યાં સ્પર્શ તો છે જ. સામાનાધિકરણ્ય રૂપ સમવાય સ્પર્શ સમવાયથી રૂપનો અભાવ પૃથિવી વાયુ આમ વાયુનું લક્ષણ વાયુમાં જ જવાથી નાતિવ્યાપ્તિ. તેથી લક્ષણ આ પ્રમાણે છે→ समवायसंबंधावच्छिन्नरूपनिष्ठप्रतियोगिताकाभावविशिष्टस्पर्शवत्त्वं वायोर्लक्षणम् સમવાયથી નીલરૂપનો સ્પર્શ અભાવ રૂપનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનો નિવેશ શંકા જેમ વાયુમાં સમવાયસંબંધથી રૂપનો અભાવ છે. તેવી રીતે લાલ ઘડામાં પણ સમવાયસંબંધથી નીલરૂપ રહેતું ન હોવાથી નીલરૂપનો અભાવ મળશે અને ત્યાં સ્પર્શ તો છે જ. સામાનાધિકરણ્ય સ્પર્શ નીલરૂપ |– સમવાયસંબંધ નીલઘટ રક્તઘટ આમ, લક્ષણ હતું વાયુનું અને ગયું રક્તઘટમાં. તેથી અતિવ્યાપ્તિ આવશે. સમા. કંઈ વાંધો નહીં, અમે વાયુના લક્ષણમાં રૂપનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનો નિવેશ કરીશું. પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ = પ્રતિયોગીમાં રહેતો અન્યુનાનતિરિક્તધર્મ = જે પ્રતિયોગીથી અધિક દેશમાં પણ ન રહેતો હોય અને ન્યૂન દેશમાં પણ ન રહેતો હોય એવો ધર્મ. અને એવા ધર્મ તરીકે અહીં રૂપત્વ મળશે. હવે વાયુનું લક્ષણ રક્ત ઘટમાં જશે નહીં. કારણ કે રક્તઘટમાં રક્તરૂપ વિદ્યમાન હોવાથી નીલરૂપનો જ અભાવ મળશે પરંતુ રૂપત્વાવચ્છિન્ન રૂપનો અભાવ એટલે કે દરેક રૂપનો અભાવ નહીં મળે. જ્યારે વાયુમાં નીલ, પીતાદિ એક પણ રૂપ ન હોવાથી રૂપત્વાવચ્છિન્ન રૂપનો અભાવ મળશે અને સ્પર્શ તો છે જ. આમ, વાયુનું લક્ષણ વાયુમાં જ જશે. તેથી નાતિવ્યાપ્તિ. અતઃ વાયુનું લક્ષણ આ પ્રમાણે થશે......‘સમવાયસંબંધાવચ્છિન્નપાવચ્છિન્તરૂપનિષ્ઠप्रतियोगिताकाभावविशिष्टस्पर्शवत्त्वम्' ઈતરધર્માનવચ્છિન્ન એવી પ્રતિયોગિતાનો નિવેશ શંકા : તમારી વાત બરાબર છે. પરંતુ પૃથિવીમાં પણ તો ‘રુપ-શબ્દોમયં નાસ્તિ’ આવા
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy