SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪૦ ૪) સામાનાધિકરણ્ય નીલાદિરૂપ સ્પર્શ રૂપાભાવ સ્પર્શ પૃથિવી વાયું તેથી લક્ષણ બનશે. સોમનાથથસંવંધેન રૂપનિષ્ટપ્રતિયોગિતામાવવિશિષ્ટ સ્પર્શવત્વે वायोर्लक्षणम् રૂપનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધનો નિવેશ શંકા : ઉપરોક્ત વાયુનું લક્ષણ દોષવાળું છે. કારણ કે નિયમ છે “સંબંધેન તવંતુ સર્વેડા સારસંવંધેન તર્વસ્તુનોડભવઃ' અર્થાત્ “એક સંબંધથી તે વસ્તુ હોવા છતાં પણ બીજા સંબધથી તે વસ્તુનો અભાવ પણ કહેવાય.’ આ નિયમથી સમવાય સંબંધથી રૂપ ભલે પૃથિવી વગેરેમાં રહે છે. પરંતુ સંયોગસંબંધથી રૂપ, પૃથિવી વગેરેમાં રહેતું નથી. સામાનાધિકરણ્ય સામાનાધિકરણ્ય સંયોગસંબંધથી રૂપનો અભાવ | સ્પર્શ રૂપાભાવ | સ્પર્શ વાયુ પૃથિવી આથી સંયોગસંબંધથી પૃથિવી વગેરેમાં રૂપાભાવ પણ છે અને સ્પર્શ પણ છે. આમ લક્ષણ કર્યું છે વાયુનું અને ગયું પૃથિવી વગેરેમાં. અત: પૃથિવી વગેરેમાં ફરી અતિવ્યામિ દોષ આવશે. સમા. : અમે લક્ષણમાં પ્રતિયોગિતાના અવચ્છેદક સંબંધનો નિવેશ કરશું તેથી ઉપરોક્ત આપત્તિ નહીં આવે. પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ કોને કહેવાય? “ન સંબંધેન થનાસ્તીત્યુતે સમ સંવંધઃ તનિકપ્રતિયોગિતાયા વચ્છેસંવંધ: અર્થાત્ જે સંબંધથી જે વસ્તુનો નિષેધ કરાય છે તે સંબંધને વસ્તુમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ કહેવાય છે. દા.ત. - જેવી રીતે બૂત પો નાસ્તિ' અહીં ભૂતલ ઉપર ઘડો સંયોગસંબંધથી નથી એવું કહેવું છે. તેથી ઘટમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક સંયોગ સંબંધ થશે. તેવી રીતે વાયૌ રૂપં નાતિ’ અહીં વાયુમાં સમવાયસંબંધથી રૂપ નથી એવું કહેવું ઈષ્ટ છે. તેથી રૂપમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ સમવાય થશે. આ સમવાય સંબંધથી રૂપનો અભાવ પૃથિવી વગેરેમાં મળતો નથી કારણ કે સમવાય
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy