SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઈતરભેદરૂપ સાધ્યને સિદ્ધ નહીં કરી શકે. તેથી લક્ષણ ત્રણ દોષથી રહિત હોવું જરૂરી છે. મૂલકારે પૃથિવી બે પ્રકારની કહી છે નિત્ય, અનિત્ય. અહીં પ્રશ્ન થાય કે નિત્ય કોને કહેવાય? અનિત્ય કોને કહેવાય? માટે જ ટીકાકારે નિત્ય તથા અનિત્યનું લક્ષણ જણાવ્યું છે. - નિત્યનું લક્ષણ છે નિતિ ! áસfમનત્વે........વિશેષ્યવતમ્ ! “જે ધ્વસથી ભિન્ન હોય અને જે ધ્વંસનો અપ્રતિયોગી હોય તેને નિત્ય કહેવાય છે. દા.ત. -- પરમાણુ, આકાશ વગેરે પદાર્થ ધ્વસથી ભિન્ન પણ છે અને “વસ્થામાવ: ર પ્રતિયો' અર્થાત્ જેનો નાશ થાય તે ધ્વસનો પ્રતિયગી = વિરોધી છે અને જેનો નાશ થતો નથી તે ધ્વસનો અપ્રતિયોગી છે. પરમાણુ, આકાશ વગેરેનો નાશ થતો નથી તેથી તેઓ ધ્વસના અપ્રતિયોગી પણ છે. આમ નિત્યનું લક્ષણ નિત્ય એવા પરમાણુ વગેરેમાં જતું હોવાથી લક્ષણ સમન્વય થયું. નિત્યલક્ષણનું પદકૃત્ય શંકા : નિત્યના લક્ષણમાં ‘વંસમન્નત્વ' એ વિશેષણ પદ ન મૂકીએ અને માત્ર ‘ઘંસાપ્રતિયોત્વિ આટલું જ નિત્યનું લક્ષણ કરીએ તો પણ ચાલી શકે તેમ છે, કારણ કે પરમાણુ, આકાશ વગેરે દરેક નિત્ય પદાર્થનો નાશ ન થતો હોવાથી તેઓ ધ્વસના અપ્રતિયોગી જ બનવાના છે. સમા. : નિત્યનું ઉપરોક્ત લક્ષણ કરતા ધ્વસમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે અનિત્ય એવા ધ્વસનો પણ નાશ ન થતો હોવાથી ધ્વંસ પણ ધ્વસનો અપ્રતિયોગી બનશે. પરંતુ નિત્યના લક્ષણમાં “áસમન્નત્વે સતિ' પદના નિવેશથી ધ્વસમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે ધ્વસ એ ધ્વંસનો અપ્રતિયોગી હોવા છતાં પણ ધ્વસ એ ધ્વસથી ભિન્ન નથી કારણ કે સ્વમાં સ્વનો ભેદ રહી શકતો નથી. શંકા : સારું, તો પછી “જે ધ્વસથી ભિન્ન હોય તે નિત્ય કહેવાય” આટલું જ નિત્યનું લક્ષણ કરો કારણ કે નિત્ય એવા પરમાણુ વગેરે તમામ પદાર્થ ધ્વસથી તો ભિન્ન જ છે. સમા. : “áસમન્નત્વ' આટલું જ નિત્યનું લક્ષણ નિત્ય એવા પરમાણુ વગેરેમાં તો ઘટી જાય છે પરંતુ અનિત્ય એવા ઘટ, પટ વગેરેમાં પણ ઘટી જાય છે કારણ કે ઘટ, પટ વગેરે પણ ધ્વસથી તો ભિન્ન જ છે. પરંતુ “āસાગપ્રતિયોગિતું' પદના નિવેશથી ઘટાદિમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે ઘટાદિનો નાશ થતો હોવાથી ઘટાદિ ધ્વસના પ્રતિયોગી છે, અપ્રતિયોગી નથી. * અનિત્યનું લક્ષણ * áસપ્રતિનિત્વ....... વાડનિત્વમ્ “જે ધ્વસનો પ્રતિયોગી હોય અથવા જે પ્રાગભાવનો પ્રતિયોગી હોય તેને અનિત્ય કહેવાય છે.” તો ધ્વંસ અને પ્રાગભાવનો પ્રતિયોગી કોણ બને? જેનો ધ્વંસ થાય તે ધ્વસનો પ્રતિયોગી બને છે અને જેની ઉત્પત્તિ થાય તે
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy