SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્ય પ્રથિવી છે. (न्या०) गन्धवतीति । गन्धवत्त्वं पृथिव्या लक्षणम् । लक्ष्या पृथिवी । पृथिवीत्वं लक्ष्यतावच्छेदकम् । यद्धर्मावच्छिन्नं लक्ष्यं स धर्मो लक्ष्यतावच्छेदकः । यो धर्मों यस्यावच्छेदकः स तद्धर्मावच्छिन्नः । तथा च लक्ष्यतावच्छेदकं पृथिवीत्वं चेल्लक्ष्यता पृथिवीत्वावच्छिन्ना । गन्धसमानाधिकरणद्रव्यत्वव्याप्यजातिमत्त्वं पृथिव्या लक्षणम् । एवं शीतस्पर्शवत्त्वादिलक्षणेषु जलादीनां लक्ष्यता जलत्वादीनां लक्ष्यतावच्छेदकत्वं च बोध्यम्॥ * ચાયબોધિની એક ન્યવત્ત્વમ્' એ પૃથિવીનું લક્ષણ છે. (જેનું લક્ષણ કરવામાં આવે તે લક્ષ્ય કહેવાય છે. અહીં પૃથિવીનું લક્ષણ કરવામાં આવે છે તેથી અહીં) પૃથિવી એ લક્ષ્ય છે અને પૃથિવી લક્ષ્ય બનવાથી પૃથિવીમાં લક્ષ્મતા નામનો ધર્મ આવ્યો. તે લક્ષ્યતાનો અવચ્છેદક ધર્મ ‘પૃથિવીત્વ બનશે કારણ કે જે ધર્મથી યુક્ત લક્ષ્ય હોય છે, તે ધર્મ લક્ષ્યતાનો અવચ્છેદક કહેવાય છે. હવે જે ધર્મ જેનો અવચ્છેદક હોય છે, તે ધર્મથી તે અવચ્છિન્ન કહેવાય છે. અહીં લક્ષ્યતાનો અવચ્છેદક પૃથિવીત્વ છે, માટે લક્ષ્યતા પૃથિવીત્વથી અવચ્છિન્ન કહેવાય છે. મૂલોક્ત “શ્વવન્ત' લક્ષણ અવ્યામિદોષથી ગ્રસ્ત છે. તેથી ન્યાયબોધિનીકારે શ્વમાનધિવરાવ્યત્વવ્યાખ્યાતિમત્ત્વમ્ અર્થાત્ “ગધના સમાન અધિકરણમાં રહેલી દ્રવ્યત્વની વ્યાપ્ય ( ન્યૂનદેશ વૃત્તિ) પૃથિવીત્વજાતિ જેમાં રહે છે તે પૃથિવી છેઆવું પૃથિવીનું નિર્દોષ લક્ષણ બનાવ્યું છે. (વિસ્તૃત વર્ણન માટે જુઓ વિશેષાર્થ.) એવી રીતે “શીતસ્પર્શવત્વે ની નક્ષમ', “૩M/સ્પર્શવવં તે નસોર્નક્ષામ', રૂપમાવવિશિષ્ટ સ્પર્શવવં વાયોર્નક્ષણમ્' આ જે જલ, તેજ તથા વાયુના લક્ષણો છે તેમાં જલ, તેજ અને વાયુ લક્ષ્ય હોવાથી તેમાં લક્ષ્યતા જાણવી અને જલત્વ, તેજસ્વ અને વાયુત્વ એ લક્ષ્યાવચ્છેદક ધર્મો જાણવા. (પછી જલાદિના પણ પૃથિવીની જેમ નિર્દોષ લક્ષણ વિચારવા.) વિશેષાર્થ : પૃથિવીનું લક્ષણ ન્યવત્ત્વ પૃથિવ્ય નક્ષત્' આ લક્ષણમાં ગન્ધ પદને જે મત (મ) પ્રત્યય લાગ્યો છે, તે અધિકરણ અર્થને જણાવે છે તેથી અન્યઃ ગતિ મ0 = શ્વવત્ = “ગન્ધનું અધિકરણ” એ પ્રમાણેનો અર્થ થશે. આવો અર્થ થવાથી ગન્ય આધેય અને પૃથિવી અધિકરણ બનશે. માટે ગન્ધમાં આધેયતા ધર્મ અને પૃથિવીમાં અધિકરણતા ધર્મ આવશે. તેથી પૃથિવીનું લક્ષણ આ પ્રમાણે બનશે. “ન્જિનિષ્ઠાધેયતાનિરૂપિતાધિરતિવર્વ પૃથિવ્યા નક્ષણમ્' અર્થાત્ ગન્ધમાં રહેલી આધેયતાથી નિરૂપિત=ઓળખાયેલ અધિકરણતા જેમાં છે તે પૃથિવી છે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy