SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ અભાવ ચાર પ્રકારે છે-પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અત્યંતભાવ અને અન્યોન્યાભાવ. વિશેષાર્થ : વસ્તુની અવિદ્યમાનતા એ અભાવ છે. કેટલાક દર્શનકારો અભાવને સ્વતંત્ર પદાર્થ માને છે. તેઓનું કહેવું છે અભાવ જો વસ્તુ જ ન હોય તો તે આકાશકુસુમ જેવી અસત્ વસ્તુ બની જવી જોઈએ, અસત્ વસ્તુની જેમ અભાવનું પણ ભાન ન થવું જોઈએ. પરંતુ એવું દેખાતું નથી. જેવી રીતે ભૂતલ ઉપર ઘડો છે' એવું જ્ઞાન સૌને થાય છે, તેવી જ રીતે ભૂતલ ઉપર ઘડાનો અભાવ છે', “વાયુમાં રૂપનો અભાવ છે એવું જ્ઞાન પણ સૌને થાય જ છે. અને જ્ઞાન, વિષય વિના ન થઈ શકે. તેથી માનવું જોઈએ કે જ્ઞાનના વિષય તરીકે ઘટાભાવ, રૂપાભાવ વગેરે વસ્તુ છે જ અને તે સ્વતંત્ર અલગ પદાર્થ છે. તે અભાવ ચાર પ્રકારે છે. (૧) પ્રાગભાવ : વસ્તુની ઉત્પત્તિ પહેલા વસ્તુનો અભાવ તે પ્રાગભાવ છે. દા.ત. -- જ્યાં સુધી ઘટ ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી ઘટનો પ્રાગભાવ. (૨) પ્રધ્વસાભાવ : વસ્તુના નાશ દ્વારા વસ્તુનો જે અભાવ થાય, તે ધ્વસ્વરૂપ અભાવ છે. દા.ત. - ઘડો ફૂટી ગયા પછી ઘડાનો અભાવ તે પ્રધ્વસાભાવ છે. (૩) અત્યંતાભાવ : એક વસ્તુમાં બીજી વસ્તુનો નિષેધ કરવો તે અત્યંતાભાવ છે. દા.ત. - ભૂતલ ઉપર ઘડાનો અભાવ. (૪) અન્યોન્યાભાવ : “એક વસ્તુ બીજી વસ્તુ સ્વરૂપે ન હોવી આવા અભાવને અન્યોન્યાભાવ કહેવાય છે. દા.ત. - ઘટ એ પેટ સ્વરૂપ નથી. શંકા : અન્યોન્યાભાવ અને અત્યંતભાવમાં ફરક શું? સમા. : અન્યોન્યાભાવ પ્રથમા વિભક્તિમાં બતાવાય છે. જેમ - ધટો ન પટ: અને અત્યંતભાવ સપ્તમી વિભક્તિમાં બતાવાય છે. જેમ - મૈતન્ને પટામાવ: || દ્રવ્યત્નક્ષપ્રશUT | પૃથિવી - નિરૂપણ मूलम् : तत्र गन्धवती पृथिवी । सा द्विविधा-नित्याऽनित्या च । नित्या परमाणुरूपा। अनित्या कार्यरूपा । पुनस्त्रिविधा शरीरेन्द्रियविषयभेदात् । शरीरमस्मदादीनाम् । इन्द्रियं गन्धग्राहकं घ्राणं नासाग्रवर्त्ति । विषयो मृत्पाषाणादिः ॥ તત્ર = પૃથિવી, જલ, તેજ વગેરે નવદ્રવ્યોમાં જે પૃથિવી છે તે ગન્ધવાળી છે. તે નિત્ય અને અનિત્ય ભેદથી બે પ્રકારની છે. પરમાણુરૂપે પૃથિવી નિત્ય છે અને કયણુક વગેરે કાર્યરૂપે પૃથિવી અનિત્ય છે. આ અનિત્ય પૃથિવી શરીર, ઇન્દ્રિય અને વિષય ભેદે ત્રણ પ્રકારની છે. (૧) આપણા બધાનું જે શરીર અર્થાત્ મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ વગેરેના જે શરીર એ શરીરરૂપ અનિત્ય પૃથિવી છે. (૨) નાસિકાના અગ્ર ભાગે રહેલી, ગન્ધ નામના ગુણને ગ્રહણ કરનારી ધ્રાણેન્દ્રિય, તે ઇન્દ્રિયરૂપ અનિત્ય પૃથિવી છે. (૩) માટી, પથ્થર, ઘટ, પટ વગેરે વિષયરૂપ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy