SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. થાય છે. અર્થાત્ સ્ફટિક લાલ છે' એવો સોપાધિક ભ્રમ થાય છે. તેવી જ રીતે દીપમાં રહેલી હલન-ચલનાત્મક ક્રિયા અંધકારમાં જે ભાસે છે તે સોપાધિકભ્રમ છે. તેથી “અંધકાર ચાલે છે” એવી પ્રતીતિ બધાને એક જેવી થાય છે. આમ, સિદ્ધ થાય છે કે અંધકારને અતિરિક્ત દશમું દ્રવ્ય માની શકાશે નહીં. (૫૦)તરતા તત્ર = સપાર્થ મધ્યે રૂત્યર્થડાવ્યા નવેલ્ય: પર્વતત્રે' तिपदं 'चतुर्विंशतिर्गुणा' इत्यादिनाऽप्यन्वेति। द्रव्यत्वजातिमत्त्वं गुणवत्त्वं समवायिकारणत्वं वा द्रव्यसामान्यलक्षणम्॥ * પદકૃત્ય : અહીં ‘તત્ર' પદનો અર્થ ‘સાત પદાર્થની મધ્યમાં એવો કરવાનો છે અને પછી ‘દ્રવ્ય, ગુણ, કર્માદિ સાતે પદાર્થોમાં દ્રવ્યો નવ જ છે” એ રીતે અન્વય કરવાનો છે. એ પ્રમાણે તત્ર રૂપ-ર ન્ય-સ્પર્શ... તુર્વિશત TEા અર્થાત્ દ્રવ્ય, ગુણ વગેરે સાતે પદાર્થોમાં ગુણો ૨૪ છે. તંત્ર પરમ... સામાન્ય અર્થાત્ દ્રવ્ય, ગુણ વગેરે સાતે પદાર્થોમાં પર અને અપરના ભેદથી સામાન્ય બે પ્રકારે છે. આ રીતે અભાવ પદાર્થ સુધી ‘તત્ર' પદનો અન્વય કરવો. દ્રવ્ય કોને કહેવાય? જે દ્રવ્યત્વ જાતિવાળું છે, અથવા જે ગુણવાળું છે, અથવા જે સમવાયિકારણ છે તેને દ્રવ્ય કહેવાય છે. વિશેષાર્થ : દ્રવ્યનું લક્ષણ પદત્યકારશ્રી એ દ્રવ્યના ત્રણ લક્ષણ બતાવ્યા છે. (૧) દ્રવ્યત્વજ્ઞાતિમવંદ્રવ્યસ્થ નક્ષણમ્ (૨) વિવં દ્રવ્યર્થ નક્ષણમ્ (૩) સમવાયારત્વે દ્રવ્યસ્થ તૈક્ષણમ્ સામાન્યથી એવું કહેવાય છે કે પહેલા લક્ષણમાં કોઈ દોષ આવતો હોય ત્યારે બીજું લક્ષણ બનાવવામાં આવે છે અને બીજા લક્ષણમાં જો દોષ આવતો હોય તો ત્રીજા લક્ષણ સુધી જવું પડે છે. તો ચલો જોઈએ, પ્રથમ લક્ષણમાં શું દોષ છે.... (૧) દ્રવ્યનું દ્રવ્યત્વજ્ઞાતિમત્ત્વમ્' એવું લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ જે લક્ષણના મુખ્ય દોષ કહેવાય છે, જેનું વર્ણન આગળ આવશે) તેના વાળું તો નથી. પરંતુ ઉપરોક્ત લક્ષણ કરવાથી “તક્ષ-7તાવ છેવયોઃ ' (પ્રતિબિંબ-ટીકા) અર્થાત્ લક્ષણ અને લક્ષ્યાવચ્છેદક બન્ને એક થઈ જવાની આપત્તિ આવશે. તે આ પ્રમાણે - જેનું લક્ષણ કરવાનું હોય તે લક્ષ્ય કહેવાય છે અને લક્ષ્યના અસાધારણ ધર્મને લક્ષણ કહેવાય છે. અહીં દ્રવ્યનું લક્ષણ કર્યું હોવાથી દ્રવ્ય એ લક્ષ્ય બનશે. દ્રવ્યમાં રહેલી લક્ષ્યતાનો અવચ્છેદક ધર્મ (લક્ષ્ય કરતા ન્યૂન કે અધિક દેશમાં ન રહેતો ધર્મ) દ્રવ્યત્વ જાતિ બનશે અને અહીં દ્રવ્યનું લક્ષણ પણ દ્રવ્યત્વ જાતિ છે. તેથી લક્ષ્મતાવચ્છેદક અને લક્ષણ બન્ને એક બની જશે. આમ તો સામાન્યથી જોવા જઈએ તો લક્ષણ હંમેશા લક્ષ્યાવચ્છેદકથી ભિન્ન જ હોય છે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy