SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ र्शगुणाश्रयतया तेजसो द्रव्यत्वं सिद्धम्।तमसि नीलत्वादिप्रतीतिस्तु भ्रान्तिरेव, दीपापसरणक्रियाया एव तत्र भानात् ॥ ન્યાયબોધિની - તમોવાદ દ્રવ્યનો વિભાગ કરે છે પ્રથિવી... ઇત્યાદિ દ્વારા. (પૃથિવી વગેરે નવ દ્રવ્યો સિવાય પણ અંધકાર નામનું દશમું દ્રવ્ય મીમાંસક માને છે એટલે નનુ પદથી મીમાંસક શંકા કરે છે.) મીમાંસક : અંધકાર નામનું દશમું દ્રવ્ય વિદ્યમાન હોવા છતાં ‘દ્રવ્ય નવ જ છે” એવું શા માટે કહો છો? નૈયાયિક : હે મીમાંસક! અંધકારની દશમા દ્રવ્ય તરીકે સિદ્ધિ કરવી હોય તો પહેલા અંધકારની પદાર્થ તરીકે સિદ્ધિ કરવી પડે, ત્યાર પછી અંધકારની દ્રવ્ય તરીકે સિદ્ધિ કરવી પડે અને ત્યાર પછી દશમા ભેદ તરીકે સિદ્ધિ કરી શકાય. મીમાંસક : “શ્વર: પાર્થ પગ પ્રતીતિવિષયત્વત્િ યથા પટે:” અર્થાત્ જેમ ઘટપદથી જન્ય ઘટજ્ઞાનનો વિષય ઘટ બને છે તેથી ઘટ પદાર્થ છે. તેવી જ રીતે અંધકારપદથી જન્ય અંધકારજ્ઞાનનો વિષય પણ અંધકાર બને જ છે. તેથી અંધકાર એ પદાર્થ છે. વળી ‘કન્યા: દ્રવ્ય શુચિવિત્ યથા ધટ: અર્થાત્ જેવી રીતે ઘટમાં રક્તતા ગુણ તથા હલનચલનાદિ ક્રિયા છે તેથી ઘટ દ્રવ્ય છે. તેવી જ રીતે અંધકારમાં પણ “નીર્ત તમકૃતિ” અર્થાત્ “નીલ = કાળો અંધકાર ચાલે છે એ પ્રમાણેની પ્રતીતિ સહુને થાય છે. તેથી નક્કી થાય છે કે અંધકાર નીલરૂપ અને ચલનાત્મક ક્રિયાનો આશ્રય છે. આ પ્રમાણે “અંધકાર દ્રવ્ય તરીકે પણ સિદ્ધ થયું. નૈયાયિક : અંધકારને દ્રવ્ય તરીકે ભલે માનો પરંતુ અમે અંધકારને કવૃત(= સ્વીકારેલા) પૃથિવ્યાદિ નવ દ્રવ્યોમાં જ અંતર્ભાવ કરશું. માટે દશમા દ્રવ્યની સિદ્ધિ થશે નહીં. મીમાંસક : નવ દ્રવ્યોમાં તો અંધકારનો સમાવેશ થઈ શકશે નહીં. તે આ પ્રમાણે ન * તમો ને સાજાશાવિષદ્રવ્યરૂપે પવન્દ્રીત્ ઇટાદ્વિવત્ / અંધકારનો આકાશ, કાળ, દિશા, આત્મા અને મન આ પાંચ તથા વાયુ એમ ૬ દ્રવ્યોમાં સમાવેશ થતો નથી કારણ કે આ ૬ દ્રવ્યો નીરૂપ = રૂપરહિત છે, જ્યારે અંધકાર તો નીલરૂપવાળો છે. * તમો ને પૃથિવીવે અભ્યશૂન્યવત્ નતાવિત્ા અંધકારનો પૃથિવીમાં પણ સમાવેશ થતો નથી કારણ કે પૃથિવી ગન્ધવાળી છે જ્યારે અંધકાર ગન્ધરહિત છે. * तमो न जलरूपं शीतस्पर्शाभावात् पुस्तकादिवत्। તમો ને તેનોપં ૩Mાસ્પર્શમાવત્ ટિહિવત્ અંધકારનો જલ અને તેજમાં પણ સમાવેશ થતો નથી કારણ કે જલ શીતસ્પર્શવાળું છે અને તેજ ઉષ્ણસ્પર્શવાળું છે જ્યારે અંધકારમાં તો કોઈ પણ જાતનો સ્પર્શ મનાતો નથી. આ પ્રમાણે અંધકારનો ૯ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્યમાં સમાવેશ થતો ન હોવાથી અંધકાર
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy