SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શકાય અર્થાત્ “કાર્યત્વને ઉપાધિ નહીં બનાવી શકાય કારણ કે જ્યાં જ્યાં અનિયત્વ છે ત્યાં ત્યાં કાર્યત્વ છે એવું નથી, પ્રાગભાવમાં અનિત્યત્વ છે પરંતુ કાર્યત્વ નથી. જ્યારે પદત્યકારે તો બતાવત્યુ સામાન્યવત્ત્વાદ્રિનાડનિત્યત્વનાથને તઋત્વમુપાધ: ચાતું આ પંક્તિ લખવા દ્વારા કાર્યત્વ'ને ઉપાધિ બનાવી છે. આ પંક્તિને સંગત કરવા ‘હેતુ વિશિષ્ટ સાધ્યને વ્યાપક હોય તે ઉપાધિ છે” એવું કહ્યું છે. હવે લક્ષણમાં “સાધનાવ્યા છત્વપદનો નિવેશ કરશું તો અતિવ્યાપ્તિ દોષ નહીં આવે એટલે “કાર્યત્વ' ઉપાધિ નહીં બની શકે કારણ કે “કાર્યત્વ' એ “જાતિમત્ત્વવિશિષ્ટ અમસ્મદાદિબાધેન્દ્રિયગ્રહણયોગ્યત્વ' સ્વરૂપ હેતુનો વ્યાપક છે. કારણ કે “જ્યાં જ્યાં જાતિમત્ત્વવિશિષ્ટ અમસ્મદાદિ-બાધેન્દ્રિયગ્રહણયોગ્યત્વ છે ત્યાં ત્યાં કાર્યત્વ છે જ દા.ત.- ઘટાદિ. આમ કાર્યત્વ એ સાધ્યને વ્યાપક હોવા છતાં હેતુને અવ્યાપક ન હોવાથી ઉપાધિ નહીં બની શકે અને તેથી અતિવ્યાપ્તિ દોષ નહીં આવે. ઉપાધિમે...પાયમ્ * સાધ્યવ્યાપકની પરિભાષામાં (= શરીરમાં) “અત્યંત' પદનો નિવેશ ન કરીએ અને સાધ્યસમાનાધિકરણાભાવાપ્રતિયોગિત્વમ્' આટલું જ કહીએ તો “પર્વતો ધૂમવાનું વત્તે આ સ્થલમાં આર્ટુન્ધન-સંયોગ ઉપાધિ નહીં બની શકે, કારણ કે ધૂમના અધિકરણ પર્વતમાં આર્દ્રધનસંયોગનો અત્યંતાભાવ ભલે નથી મળતો પરંતુ એનો ભેદ તો મળે જ છે કારણ કે પર્વત એ અદ્વૈધનસંયોગરૂપે નથી. અને તાદશ ભેદનો પ્રતિયોગી અદ્વૈધનસંયોગ થઈ જશે, અપ્રતિયોગી નહીં બને. અર્થાત્ સાધ્યનો વ્યાપક નહીં બને. આમ દરેક જગ્યાએ સાધ્યના અધિકરણમાં ઉપાધિનો ભેદ તો મળશે જ માટે કોઈ પણ ઉપાધિમાં ઉપાધિનું લક્ષણ ન જવાથી અસંભવદોષ આવશે. સાધ્યવ્યાપકની પરિભાષામાં અત્યંત પદના ઉપાદાનથી આપત્તિ નહીં આવે, કારણ કે પર્વતમાં આર્મેન્યન-સંયોગનો અત્યંતાભાવ નથી મળતો પરંતુ ઘટાદિનો અત્યંતાભાવ મળશે. તાદેશ ઘટાદ્યભાવનો પ્રતિયોગી ઘટાદિ થશે અને અપ્રતિયોગી આર્ટન્ધનસંયોગ થશે. તેથી આર્દ્રધન-સંયોગ ઉપાધિ બની જશે. સીથમેટમાવાય....યમ્ | * એવી જ રીતે સાધનાવ્યાપકની પરિભાષામાં “અત્યંત' પદનો નિવેશ ન કરીએ અને “ધનવનિમવિપ્રતિયોજિત્વ આટલું જ કહીએ તો “પર્વતો ધૂમવાનું વદ્દે આ સ્થલમાં હેતુ વહ્નિના અધિકરણ અયોગોલકમાં વનિનો ભેદ મળી જશે કારણ કે અયોગોલક એ વનિ સ્વરૂપ નથી. અને તાદેશ ભેદનો પ્રતિયોગી હેતુ વનિ સ્વયં બની જવાથી હેતુનો અવ્યાપક વનિ પોતે બનશે અને વનિ, ધૂમનો વ્યાપક = સાધ્યનો વ્યાપક તો છે જ. માટે વનિ પોતે જ ઉપાધિ બની જવાથી ઉપાધિનું લક્ષણ હેતુમાં જતું રહેશે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy