SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ પ્રત્યક્ષની પ્રતિ “સમવેતસમવાય સક્નિકર્ષ કારણ છે. (૨) (કાર્ય). (કાર્ય) આકાશસમવેતવિષયક (કારણ). | આકાશસમવેતસમવેત (કારણ) શ્રાવણપ્રત્યક્ષ સમવાય વિષયકશ્રાવણપ્રત્યક્ષ સમવેતસમવાય લૌકિક સ્વરૂપ લૌકિક - સ્વરૂપ સંબંધ સબંધ વિષયતા - સંબંધ વિષયતા સંબંધ આકાશસમવેત આકાશસમવેત ક,ખાદિ શબ્દ સમવેતકત્વાદિ * અભાવના પ્રત્યક્ષમાં વિશેષણવિશેષ્યભાવ = વિશેષણતા સન્નિકર્ષ કારણ છે. પૂર્વે સાત પદાર્થમાંથી દ્રવ્ય, ગુણ, ક્રિયા અને સામાન્યના પ્રત્યક્ષ માટે સંયોગ વગેરે પાંચ સક્નિકર્ષો કારણ તરીકે બતાવ્યા છે. સમવાય અને વિશેષનું પ્રત્યક્ષ થતું નથી. હવે દ્રવ્યાભાવ, ગુણાભાવ, ક્રિયાભાવ અને સામાન્યાભાવના પ્રત્યક્ષ માટે ઉપરના જ સંયોગ વગેરે પાંચ સક્નિકર્ષમાં વિશેષણતા” પદ જોડીને તથા સંયોગના સ્થાને “સંયુક્ત અને સમવાયના સ્થાને સમવેત પદ જોડીને અભાવના પ્રત્યક્ષમાં કારણભૂત એવાં સક્નિકર્ષનો નિર્વાહ કરવો. (૧) સંયુક્તવિશેષણતાસનિકર્ષ : દ્રવ્યમાં કોઈ પણ અભાવનું પ્રત્યક્ષ કરવું હોય તો સંયુક્તવિશેષણતાસન્નિકર્ષ કારણ બને છે. દા.ત. “પરમાવવધૂતત્વમ્' અહીં ચક્ષુરિન્દ્રિયથી સંયુક્ત ભૂતલ છે, તેમાં ઘટાભાવ વિશેષણ છે, તેમાં વિશેષણતા રહી. તેથી ઇન્દ્રિયસંયુક્તવિશેષણતાસન્નિકર્ષથી ઘટાભાવનું પ્રત્યક્ષ થયું કહેવાય. (૨) સંયુક્ત સમવેતવિશેષણતાસનિકર્ષ : આ સત્રિકર્ષથી દ્રવ્યસમવેત જે ગુણ, ક્રિયા અને જાતિ છે, તેમાં કોઈ પણ અભાવનું પ્રત્યક્ષ થાય છે. દા.ત. ઘટદ્રવ્યમાં સમાવેત જે ઘટત્વ, પૃથ્વીત્યાદિ જાતિ છે, તેમાં પટવાભાવનું પ્રત્યક્ષ સંયુક્તસમતવિશેષણતા સન્નિકર્ષથી થશે. કારણ કે ચક્ષુથી સંયુક્ત “ઘટ’, એમાં સમવેત “ઘટવ', તેમાં પટવાભાવ વિશેષણ છે. એવી જ રીતે ઘટાદિદ્રવ્ય સમવેત જે નીલાદિરૂપ છે તેમાં પીતત્વાભાવનું = પીતરૂપાભાવનું પ્રત્યક્ષ પણ આ સક્નિકર્ષથી જાણવું. (૩)સંયુક્તસમવેતસમતવિશેષણતાસનિકર્ષ ઃ આ સકિર્ષથી દ્રવ્યસમવેતસમવેત જાતિમાં અભાવનું પ્રત્યક્ષ થાય છે. દા.ત. - નીલત્વજાતિમાં પીતત્વના અભાવનું જ્ઞાન આ સક્નિકર્ષથી થશે. કારણ કે ચક્ષુથી સંયુક્ત ઘટ, એમાં સમવેત નીલ, એમાં સમવેત જે નીલત્વ જાતિ છે, એમાં વિશેષણીભૂત પીતત્વાભાવ છે. (૪) સમતવિશેષણતાસત્રિકર્ષ : આ સન્નિકર્ષથી “ક” વગેરે શબ્દમાં ખ, ખત્વાદિના અભાવનું પ્રત્યક્ષ થાય છે. કારણ કે શ્રવણેન્દ્રિયમાં સમવત “ક' વગેરે જે શબ્દો છે, તેમાં
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy