SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ગ્ય પરિતુષ્ટ ક્યા હતા તેમ, પિતાના સૈન્યને દીનતારહિત સજજ કરીને તેમાંથી કેટલુંક સૈન્ય, પિતાના સ્વામી(રાજા)ના શત્રુરાજાના નગર(ગધ્રા)ની સીમમાં ગાયે હરવા વિગેરે માટે ત્વરાપૂર્વક કહ્યું અને પોતે પાછળના ભાગની રક્ષા કરવામાં વિચક્ષણ બની પાછળ સ્થિર રહ્યો. આગળ ગયેલા ઉત્સાહી તે સૈન્ય સમસ્ત ભૂતલને કંપા વતાં ગધ્રાના સીમને વેગપૂર્વક દબાવ્યું. યુક્તિ-પ્રયુક્તિથી આકંદ આપનારાં, પ્રાણ હરનારાં બાણેઘઘુલને રણુ- વડે, રાજાઓ(ક્ષત્રિય)ની જેમ યુદ્ધ કરતા મેદાનમાં લાવ. વાળને સર્વ અંગેમાં જર્જરિત કરીને ગોકુળને વાળ્યું. ગોવાળેએ તત્કાળ નગરમાં આવીને ઈદ્ર સરખા તેજસ્વી ભૂમિપાલ (ઘૂઘુલ) આગળ આક્રોશ કરતાં પિકાર કર્યો કે–“ આપના જોતજોતામાં પણ કેઈ પાપીઓ વડે ક્ષત્રિયના આચારને તજીને, હોડીઓ સમુદ્રમાં લઈ જવાય તેમ ગાયે હરાય છે-લઈ જવાય છે. તેથી ક્ષત્રિયના ધર્મને આગળ કરી દડે દોડે, કેમકે–ગાયનું રક્ષણ કરવું–એ જ ક્ષત્રિયેનું પરમ પુણ્ય છે.” એ સાંભળીને ક્રોધવડે વિકરાળ મુખવાળ, પરાક્રમીએમાં પ્રખ્યાત થયેલે, મેઘની જેમ ઘણું ગાજતે ઘડ્યુલ ક્ષણવાર વિચારવા લાગ્યો કે “અહો ! હારા જેવો રાજા જીવત હોવા છતાં, પાદરમાં આવીને વૈરીઓ દ્વારા ગાયનું હરણ એ અશ્રુતપૂર્વ(પૂર્વે કદિ ન સાંભળેલું) શું સંભળાય છે? તે વસુમતી–નેતા (પૃથ્વી-નાયક), ક્ષત્રિમાં અધમ ગણાય કે જેના જીવતાં ગંગા જેવી ગાયે હરાય. કહ્યું છે કે–વૃત્તિ(આજીવિકા) કપાવાના પ્રસંગે, કિજા
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy