________________
( ૧૮ )
કરી. જગન્નાથની સ્તુતિ કરી, યશ્રેષ્ઠ દાનાવડે યાચકોને આનંદ પમાડ્યો. ત્યાર પછી ધર્મશાલાએ આવી ગુરુજીને નમસ્કાર કરી, જિન–પૂજા વિગેરેમાં પ્રેરણા કરનારી, શુભ શકુનાદિ ફળ સૂચવતી તેમની ધ દેશના સાંભળી. દેવપૂજાના નિશ્ચલ નિશ્ચયવાળા ઉચિત નિયમા ગ્રહણ કરી, તે અને પેાતાને ઘરે આવ્યા. શ્રીમાન્ મત્રીએ સુપાત્રાને દાન આપી, યાચકાને પ્રસન્ન કરી, વિવિધ દેશેામાંથી આવેલા સાધર્મિક અને પેાતાના પિરવાર સાથે ષસ-સંસ્કારવાળુ સુખ કરનારૂ ભાજન કર્યું.
પ્રસ્થાન
ત્યારપછી ચૌલુકય ભૂપાલ( મહારાણા વીરધવલ )ના આદેશથી દેશના અધિપતિઓ( સામત રાજા ) સાથે તથા ઘેાડા, હાથી અને સુભટાની સેનાએથી પરવરેલા, અસાધારણ પ્રચંડ સૈન્યના ચાલવાથી ઉડતી ધૂળવડે નિરાલંબ મા( આકાશ )માં બીજી પૃથ્વી રચતા હોય તેમ, અતિ પ્રૌઢ હાથી પર આરૂઢ થયેલ, ચાલતા ચામરાવડે અને પેાતાના કીર્તિ–મડલ જેવા શ્વેત છત્રવડે શાભતા, યમરાજના જેવા દુસ્સહ, શત્રુઓને કપાવનાર મહામાત્ય તેજપાલ, ગાધ્રાના રાજાને જીતવાની ઇચ્છાએ ચાહ્યા.
• નિવેદ ન પામવે—કટાળવું નહિ–એ લક્ષ્મીનું મૂલ છે. ’ એ સુભાષિતને સંભારતા સુબુદ્ધિસેના–વ્યૂહ માન્ મંત્રીએ મેટાં પ્રયાણેાદ્વારા જલ્દીથી અનુક્રમે માહેદ્રી નદી ઉતર્યાં પછી, રામચંદ્રજીએ સાગર તર્યાં પછી અપૂર્વ વાનરાધીશાને યથા