SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૦ I. આ લેકે જાગૃત, ચેતનવંતા અને સ્વાશ્રયી હોય છે. કોઈ પણ પ્રકારના વિરોધની અવગ9ના કરીને તેઓ તેમની ચેજનાઓ પાર પાડે છે. તેમની સીધી અને શક્તિશાળી રીતે અને પદ્ધતિઓ તેમને સફળતા અપાવે છે. તેમનામાં સારી લેખનશક્તિ, ઉચ્ચ શિક્ષણ પ્રત્યે પ્રેમ અને અભ્યાસ માટે ઉત્સાહ હોય છે. તેથી તેઓ સમાચારપત્રોના ખબરપત્રી તરીકે, પ્રાધ્યાપક, હિસાબનીસ અને વૈજ્ઞાનિક તરીકે સારું કામ કરે છે. સામાન્ય રીતે જીવનમાં તેમને સારા પ્રમાણમાં સફળતા અને ધન મળે છે. * સૂચના-(૧) આજનોમાં થતા વિલંબ અને રૂકાવટથી ધીરજ ગુમાવવી નહી. (૨) તેમણે તેમના કાર્યમાં આવતી અસ્થિરતા, અડચણે અને અવરોધેની અવગણના. કરવી. (૩) જૂની બાબતો, બનાવે અને વસ્તુઓ ભૂલી જવી જોઈએ. (૪) સંયમી બનીને મિજાજ ઉપર કાબૂ, શખવાની જરૂર છે. (૫) મુશ્કેલીઓ અને નિષ્ફળતાથી હિંમત હારવી નહીં. J. આ લોકોને ફેરફારો ગમે છે. તેઓને નવીન મિત્રો બનાવવાનું અને નવીન પરિચ કેળવવાનું ગમે છે. તેમનામાં કેઈપણ પ્રશ્નની બને બાજુઓ જેવાની શક્તિ હોય છે. તેઓ આશાવાદી હોય છે. તેમનામાં મોટે ભાગે લેખનકળા કે ચિત્રકળા જેવી કોઈ મૌલિક અને રચનાત્મક શક્તિ હોય છે. પ્રેમ, લગ્ન અને ધન કમાવવાની બાબતમાં આ લોકે ભાગ્યશાળી હોય છે. તેઓ આશાવાદી હોય છે. સામાન્ય રીતે તેમનું સ્વાથ્ય સારું હોય છે, તેઓ નવા વચારો જલદીથી ગ્રહણ કરે છે.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy