SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ નિહ્નવ ૧૪૭ ગાથાર્થ - ગુરુજી વડે કહેવાયું કે હે રાજન્ તમને આ વાદ સંભાળવવા માટે જ મારા વડે આટલો બધો સમય લગાડાયો. પરંતુ જો તમારી આ વાદ સાંભળવાની શક્તિ જ નથી. તો હું આવતી કાલે જ આ શિષ્યને જિતને વાદ સમાપ્ત કરીશ. ll૧૪૮પ અવતરણ - ત્યારબાદ બીજા દિવસે શું થયું ? તે હવે જણાવે છે. बीयदिणे बेइ गुरु नरिंद ! जं मेइणीए सब्भूयं । तं कुत्तियावणे सव्वमत्थि सव्वप्पतीयमित्यं ॥ २४८६ ॥ . तं कुत्तियावणसूरो नोजीवं देइ जइ, न सो नत्थि । अह भणइ नत्थि, तो नत्थि किंव हेउप्पबंधेणं ॥ २४८७ ॥ ગાથાર્થ - બીજા દિવસે ગુરુજીએ જ રાજ્યસભામાં જ કહ્યું કે હે રાજનું ! આ પૃથ્વી ઉપર જે કોઈ વસ્તુ વિદ્યમાન હોય છે તે સર્વ પણ વસ્તુઓ કૃત્રિકા પણ નામની દુકાનનો સ્વામી દેવ આપે જ છે. તેથી જો તે દેવ નો જીવ આપે તો તે નોજીવ નથી એમ નહીં અર્થાત્ છે. અને જો તે દેવ કહે કે નોજીવ નામની કોઈ વસ્તુ મારી પાસે નથી. તો સમજી લેવું કે “નોજીવ” નથી જ. (માટે તેનાથી જ નિર્ણય થઈ જશે) ઘણા હેતુઓ એટલે દલીલો અને ઉદાહરણોની હારમાળા જણાવવાની શી જરૂર છે ? ૨૪૮૬૨૪૮૭ | વિવેચન : બીજા દિવસે શ્રીગુસૂરિજી નામવાળા ગુરુજીએ કહ્યું કે હે રાજન્ ! આ પૃથ્વી ઉપર જે કોઈ વસ્તુ વિદ્યમાન હોય તે સર્વ વસ્તુઓ “કુત્રિકાપણ” નામની દુકાનમાં હોય જ છે આ વાત સર્વલોકોને અને આપને પણ જાણીતી છે. તે કાળે દેવો ચલાવે તેવી દુકાનો હતી. અને જે જગતમાં હોય તે વસ્તુ તે દુકાનમાં મળતી. તેથી તે દુકાનને “કુત્રિકાપણ” કહેવાતી. કારણ કે એટલે સ્વર્ગલોક-પાતાલ લોક અને મૃત્યુલોક આમ ત્તિ = આ ત્રણ લોકનું જે ત્રિક તે કુત્રિવં = કહેવાતું “તારાથ્થાત્ તવ્યપદેશ:" = જે જેમાં રહે તેને તે નામ વાળો કહેવાય જેમ કે ગુજરાતમાં રહે તે ગુજરાતી. મારવાડમાં રહે તે મારવાડી “ત્રણે લોકમાં રહેનારા જીવો પણ વિ જ કહેવાય. સુત્રિમ આપત્તિ વ્યવહાતિ યત્ર કે સ કૃત્રિલાપ :” “ત્રણે લોકની સમસ્ત વસ્તુઓની લેવડ-દેવડ કરવાનો વ્યવહાર થાય છે જે હાટમાં (જે દુકાનમાં) તે હાટ- અર્થાત્ તે દુકાન કુત્રિકાપણ કહેવાય છે. અથવા થાતુ-ગીવ-મૂન નક્ષ: ગિ: ગતિ વિર્ષ = ધાતુઓ જીવો અને મૂળીયાં આ લક્ષણવાળા ત્રણવસ્તુઓથી જે જન્મે છે તે નિ કહેવાય છે. સૌ નિમાપતિ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy