SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ત્રિરાશિકમત નિહ્નવવાદ ભેદ થાય છે. તેમ સંઘાત પણ થશે. જેથી જીવનો સર્વથા નાશ નહીં થાય. આમ કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે. ઉત્તર :- આવી કલ્પના કરવી તે ઉચિત નથી. કારણ કે તેમ માનવામાં દૂષણ આવે છે. તો વ સલૅહિં =એમ માનશો તો પણ સમસ્ત લોકમાં રહેલા જીવોનો પરસ્પર ટુકડા સંધાવાથી પરસ્પર શંકર થઇ જશે સુખ-દુઃખાદિ ગુણોના સંવેદનનો પણ શંકર જ થશે. ઉપરની વાતનો સાર એ છે કે - શુભ અથવા અશુભ કર્મોથી યુક્ત એવો જીવનો એક ટુકડો બીજા જીવની સાથે જોડાય અને બીજા જીવનો ટુકડો તે જીવની સાથે જોડાય ત્યારે તે પ્રથમ જીવના સુખાદિ ગુણો પણ અન્યજીવમાં પ્રવેશ પામે અને અન્યજીવન સુખાદિ ગુણો તે વિવલિત જીવમાં પ્રવેશ પામે. આમ થાય તો સર્વે પણ જીવોમાં પુદ્ગલ દ્રવ્યની જેમ જ ટુકડાઓ સંધાવાથી સુખ-દુઃખાદિ ગુણોનો પણ શંકર થવાની આપત્તિ આવે. તથા એક જીવને કૃતનાશ દોષ આવે. કારણ કે તેણે પોતે કરેલું જે કર્મ છે તેનો ટુકડો જ્યાં સંધાશે. ત્યાં ગયો. પણ તેને પોતાને ભોગવવાનું ન રહ્યું. માટે કૃતનાશ દોષ આવ્યો. તથા બીજા જીવે તેવું કર્મ કર્યું ન હતું. છતાં તેમાં જે ટુકડો આવ્યો તે નવું કર્મ લઇએ આવ્યો. એટલે પોતે ન કરેલું એવું કર્મ તેને ભોગવવાનો અવસર આવ્યો આમ અકૃતાગમ નામનો દોષ આવ્યો ઇત્યાદિ ઘણા દોષો આવે છે. તેથી જીવનો ખંડ ખંડ નાશ થાય છે આ માન્યતા વ્યાજબી નથી ૨૪૬૯ || અવતરણ:- ઘરનો (એટલે કે પ્રશ્ન કરનારનો) બીજું પણ અભિપ્રાય લખીને તેમાં પણ દૂષણ આપે છે. તે વાત સમજાવે છે: अह अविमुक्को वि तओ, नोजीवो तो पइप्पएसं ते । जीवम्मि ते असंखेज्जा, नोजीवा नत्थि जीवो ते ॥ २४७० ॥ ગાથાર્થ - હવે જો જીવના ખંડખંડ ટુકડા થાય છે આમ કદાચ તું ન માને પણ અવિમુક્ત એટલે અખંડ જેવદ્રવ્ય છે. આમ માનીશ તો ત્યાં એક એક ભાગને નોજીવ કહેવાથી સર્વે પણ પ્રદેશો તારી દષ્ટિએ તો નો જીવ જ થઈ જશે. એટલે એક જીવમાં અસંખ્યાતા નોજીવો છે. પણ જીવદ્રવ્ય નથી આવો અર્થ થશે. ? | ૨૪૭૦ || વિવેચન :- હવે જો ઉપર સમજાવ્યા પ્રમાણે જીવનો છેદ થતો ન હોય અને છેદ માનવામાં આ દોષના ભયથી જીવનો છેદ થાય છે. આ વાત કદાચ તમે ન માનશો. અને અવિભક્ત એટલે કે “અખંડ જેવદ્રવ્ય” છે. જેનો એક પણ ટુકડો છુટો પડ્યો નથી. છુટો પડતો નથી. અને છુટો પડશે નહીં. આવું અખંડ જીવદ્રવ્ય છે. આમ જો તમે માનશો તથા જીવની સાથે સંબંધવાળા (એટલે કે જોડાયેલા) એવા ટુકડાને (હાથ પગ માથું- પેટ વિગેરે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy