SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પમ નિતવ રોહગુપ્ત મુનિ ૧૩૭ તથા જીવનો સર્વથા નાશ થયે છતે કરાયેલા શુભાશુભ કર્મોનો પણ આપોઆપ નાશ જ થાય આમ થવાથી કૃતનાશ-અકૃત આગમ ઇત્યાદિ દોષો લાગવાનો પ્રસંગ પણ આવે માટે જીવનો ખંડ-ખંડ નાશ થતો નથી. પ્રશ્નઃ- ગીરોળી વિગેરે પદાર્થોમાં પુછડા આદિ ભાગોનો નાશ થાય છે. પૃથભૂત થતો હોવાથી ખંડ-ખંડ વાર નાશ થાય જ છે. અને તેમ દેખાય જ છે. તો તેમ ખંડ ખંડ નાશ માનવામાં શું દોષ આવે ? ઉત્તર :- ઉપરની વાત અયુક્ત (અયોગ્ય) જ છે. ઔદારિક શરીર કે જે પૌગલિક છે. તેનો જ ખંડ ખંડ નાશ થાય છે પરંતુ તેમાં રહેલા જીવનો ખંડ ખંડ નાશ થતો નથી જ. કારણ કે તે જીવ તો અમૂર્ત હોવાથી કોઈના પણ વડે ખંડ ખંડ કરવો શક્ય નથી. જેમ આકાશના ખંડ ખંડ થતા નથી. જેમ જીવના પણ ખંડ ખંડ થતા નથી. ૨૪૬૮ અવતરણ :- આ બાબતમાં પર એવા શિષ્યના અભિપ્રાયની શંકા કરીને તેની વાતને દૂષિત કરતા ગ્રન્થકારશ્રી કહે છે કે - अह खंधो इव संघाय-भेयधम्मा स तो वि सव्वेसि । अवरोप्परसंकरओ सुहाइगुणसंकरो पत्तो ॥ २४६९ ॥ ગાથાર્થ :- હવે કદાચ કોઈ વાદી જીવદ્રવ્યને પુદગલસ્કંધની જેમ સંઘાત અને ભેદ ધર્મવાળો છે આમ માને તો તે પણ ઉચિત નથી. કારણ કે એમ માનવામાં સર્વેનો પરસ્પર સંકર થાય. અને સુખદુઃખાદિ ગુણોનો પણ સંકર થવાની આપત્તિ આવે. માટે આ માર્ગ ઉચિત નથી. II ૨૪૬૯ || વિવેચન :- હવે પુગલના સ્કંધો-ખુરશી-ટેબલ-પલંગ વિગેરે પદાર્થો અવયવવાળા હોવાથી જેમ તેના અવયવોનો સંઘાત (યથાસ્થાને ગોઠવવા પણું) અને ભેદ (અવયવોનું વિખેરવા પણું) થાય છે. તેની જેમ જીવના પ્રદેશોનો પણ સંઘાત-વિઘાત થાય છેઆમ જો સ્વીકારવામાં આવે. તો વિવલિત એક પુદ્ગલ સ્કંધમાં બીજા પુદ્ગલોનો સ્કંધ (બીજો સ્કંધનો ટુકડો) લાવીને સંબંધ કરાય છે એક પાટીયાની સાથે બીજું પાટીયું જોડાય છે તેમ તથા તેનો ટુકડો કાપીને બીજે સંધાય છે તેમ જીવનો પણ એક ટુકડો બીજ જીવ સાથે જોડાય છે અને બીજા જીવનો ટુકડો ત્યાંથી છુટો પાડીને ત્રીજા જીવની સાથે જોડાય છે. આવા પ્રકારના સંઘાત અને ભેદ ધર્મવાળા જીવો છે આમ જ માનવું પડે. જે ઉચિત નથી. જીવના આવા ખંડ ખંડ વિભાગો થતા નથી. પ્રશ્ન :- તથા ખંડ ખંડ નાશ થવા છતાં પણ નવા નવા ટુકડા જોડાતા રહેશે માટે જેમ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy