SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યત્ત્વનાં છ સ્થાનોનાં નામો બાલાવબોધ - જીવ છવું ? તે નવ નિત્ય છટ્ટ ૨ તે ગીર स्वपुण्य-पापनो कर्ता छई ३ । ते जीव आप-आपणा पुण्य-पापनो મોવતા છડું ૪ “ત્વિ”-છરું, “યુવF”-નિશ્ચયડું, “નિર્વા” મોક્ષ ५ । ते मोक्षनो उपाय पणि निश्चयई छई-तेहमां संदेह नथी ६ । ए छ थानक समकितनां जाणवां ॥३॥ ભાવાર્થ :- સમ્યકત્વ ગુણના આધારભૂત ૬ સ્થાનક છે જેનું વર્ણન આ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે તે છ સ્થાનો આ પ્રમાણે છે. (૧) ચેતના લક્ષણવાળો જીવ નામનો એક પદાર્થ છે. તે સ્વતંત્ર દ્રવ્ય (૨) તે જીવ દ્રવ્યસ્વરૂપે અનાદિ-અનંત છે અર્થાત્ નિત્ય છે. (૩) તે જીવ મિથ્યાત્વાદિ બંધહેતુયુક્ત હોવાથી કર્મોનો કર્તા છે. (૪) આ જીવ પોતાના કરેલા કર્મોનો ભોક્તા પણ છે. (૫) કર્મ એ પરદ્રવ્ય હોવાથી જીવ તેનાથી મુક્ત થઈ શકે છે. (૬) કર્મોમાંથી જીવની મુક્તિ થવાના ઉપાયો પણ છે જ. ઉપરોક્ત છ પ્રકારની દઢીભૂત માન્યતાઓ એ સમ્યકત્વગુણને આત્મામાં સ્થિર કરવાના ઉપાયરૂપ છે. તેથી તે છ માન્યતાને “સ્થાનક” કહેવાય છે. જગતમાં ચાલતી વ્યવસ્થાને મનમાની કલ્પનાઓ દ્વારા કહેનારા ઋષિમુનિઓ ઘણા થયા છે. તેમના વિચારોને-સિદ્ધાન્તોને શાસ્ત્રોને દર્શન કહેવાય છે. આ સંસારમાં “પુ મુજે મતિમિના” ના ન્યાયથી આવા પ્રકારનાં અનેક દર્શનો થયાં છે તે સર્વેનો સંક્ષેપથી છ દર્શનમાં સમાવેશ થાય છે. (૧) ચાર્વાક, (૨) બૌદ્ધ, (૩) નૈયાયિક અને વૈશેષિક, (૪) વેદાન્ત-મિમાંસક, (૫) સાંખ્ય, (૬) જૈન. પ્રથમના પાંચ દર્શનકારો છઘસ્થ હોવાથી સર્વજ્ઞ પણ નથી અને સર્વજ્ઞને અનુસરનારા પણ નથી. પરંતુ સ્વતંત્ર પ્રતિકલ્પનાએ જગતનું સ્વરૂપ સમજાવનારા છે. માટે મિથ્યાષ્ટિ છે. જ્યારે જૈનદર્શનકાર તીર્થંકરપ્રભુ સર્વજ્ઞ પણ છે અને
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy