SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ५५ સામ્ય ધરાવે છે. યાગબિન્દુની ઘણીખરી યાગવસ્તુ યેાગશતકમાં સક્ષેપમાં આવી જાય છે. પ્રારભમાં નિશ્ચય અને વ્યવહાર યાગનું સ્વરૂપ દર્શાવ્યું છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન ને સમ્યક્ચારિત્ર એ ત્રણના આત્મા સાથેના સંબંધ એ નિશ્ચયયેાગ છે ( ગાથા ૨ ), જ્યારે એ ત્રણેનાં કારણેા એ વ્યવહારયોગ છે (ગાથા ૪ ). યોગના અધિકારી તેમજ અધિકારીના પ્રશ્ન પણ યેાગબિન્દુની પેઠે 'સાંખ્ય ને જૈન પરિભાષાના શ્લેષ દ્વારા ગાથા ૯-૧૦ માં નિરૂપાયા છે. યેાગાધિકાર પ્રાપ્ત કરવા માટે સાર્ક કરવાની પૂર્વ તૈયારીનું અહીં પૂર્વસેવા કે યોગખીજ નામથી વર્ણન નથી, પરંતુ પ્રથમાધિકારી અપુનબંધકને માટે પરપીડાપરિહાર, દીનદાન, ગુરુદેવના પૂજાસત્કાર ઇત્યાદિ લૌકિક ધર્માંના પાલનની જે વાત ગાથા ૨૫–૨૬ માં કહી છે તેમાં પૂર્વ સેવા યા યાગખીજ જ સૂચવાય છે. ચરમાવ માં વતા યોગાધિકારીઓનું અપુનઐધક, સભ્યદૃષ્ટિ આદિમાં વર્ગીકરણ તેમજ પ્રત્યેકનાં લક્ષણેા યાગબિન્દુ (èા. ૧૭૭, ૧૭૮, ૨૫૩, ૩૫૩)ની પેઠે જ ગાથા ૯ અને ૧૩-૧૬ માં નિરૂપવામાં આવ્યાં છે, અને તે તે અધિકારીને ઉપદેશવાના વિષયેાની ગાથા ૩૦ થી ૩૫ માં આપેલી ચાદીમાં તેએના અનુષ્ઠાનનું સામાન્ય કથન આવી જાય છે. યાગબિન્દુની પૈઠે અનુષ્ઠાનના વિષ, ગર આદિ પ્રકારાની તેમજ પ્રત્યેક અધિકારીના અનુષ્ઠાનની વિગતે ચર્ચા કરવામાં આવી નથી, પણ સામાન્યપણે એટલું જણાવવામાં આવ્યું છે કે પ્રત્યેકનું પાતપાતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાન યાગ જ છે, કેમકે એમાં અપધ્યાન અર્થાત્ દુર્ધ્યાનના પ્રાય: અભાવ હાય છે તેમજ સદનસંમત યેાગનાં લક્ષણ્ણા એમાં ઘટે છે (ગા. ૨૧-૨૨).
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy