SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું વર્ગીકરણ ઈચ્છાયેગ, શાસ્ત્રોગ, ને સામર્થ્યોગ એમ ત્રણ ભાગમાં છે. યોગની આ ત્રણ ભૂમિકાઓ રિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ પ્રાપ્ત થાય છે. ધર્મ કરવાને ઈચ્છતા જ્ઞાનીને પ્રમાદને લીધે જે વિકલધર્મયોગ તે ઈચ્છાયોગ. જે ધર્મ. યોગ શાસ્ત્રના તીવ્ર બોધવાળો અને શાસ્ત્રને જ અનુસરતા હોય તે શાસ્ત્રોગ. જે યોગ આત્મશક્તિના ઉદ્રકને લીધે શાસ્ત્રમર્યાદાથી પણુ પર હૈય તે સામર્થગ (લો. ૩–૫). - ત્રીજા વર્ગીકરણમાં યોગીઓને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે: ૧. ગોત્રગી, ૨. કુલગી, ૩. પ્રવૃત્તચોગી, ૪.સિદ્ધથાગી. આ ચાર પિકી વચલા બેને યોગના અધિકારી લેખ્યા છે. પ્રથમમાં યોગ્યતાને અભાવ હેઈ તે અનધિકારી છે અને સિદ્ધયેગીને તો યોગની જરૂર જ ન હોઈ તે અનધિકારી છે (લે. ૨૦૮–૧૨). યેગશતક યોગશતક વિષયની દૃષ્ટિએ યોગબિંદુ સાથે સૌથી વધારે પ્રવર્તે છે. આ પરથી જોઈ શકાશે કે યોગબિંદુગત અપુનબંધકની જરી જદી અવસ્થાઓ પહેલી ચારમાં, સમ્યગ્દષ્ટિની પાંચમી દષ્ટિમાં અને દેશ તેમજ સર્વવિરતિની છઠ્ઠીમાં સમાવેશ પામે છે. સાતમી દષ્ટિ સર્વવિરતિની જ સહેજ વિકસિત પણ ક્ષપકશ્રેણી પહેલાંની દશાને સૂચવે છે. જ્યારે છેલ્લી પરાદષ્ટિ ક્ષપકશ્રેણુ-આરૂઢ ચારિત્રીની પૂર્ણતા સુધીની બધી અવસ્થાઓને સમાવે છે. ૧. (૧) ભૂમિભવ્ય યા નામધારી યોગી તે ગોત્રયોગી. (૨) યોગીના કુળમાં જન્મેલા અથવા યોગીધર્મને અનુસરનારા તે કુલયોગી (૩) જેનું અહિંસા આદિ યોગચક પ્રવૃત્ત થયું હોય તે પ્રવૃત્તચક્રગી. () જેને યોગ નિષ્પન્ન યા સિદ્ધ છે તે સિદ્ધગી. વિસ્તાર માટે જઓ ડે. ભગવાનને દાસકૃત ગુજરાતી વિવેચન, પા. ૬૮૧-૭૦૭.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy