SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે જ્યારે તેઓ શિષ્ય થવા ગયા ત્યારે તેણે ગુરુ જિનભટસૂરિ પાસે જવા કહ્યું. જ્યારે શ્રી હરિભદ્રે ગુરુને ગાથાના અર્થ પૂછ્યો ત્યારે ગુરુએ કહ્યુ કે જૈન સૂત્રોના અર્ધાં જૈન પ્રવ્રજ્યા લઈને જે વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં આવે છે. આથી તેઓએ દીક્ષા લીધી અને યાકિની મહત્તરાને ધમાતા તરીકે સ્વીકારી, શ્રી હરિભદ્રની વિદ્વત્તા ને તેમના ચારિત્ર્યને કારણે ગુરુએ તેમને પેાતાના પટ્ટધર બનાવ્યા.”૧ શ્રી હરિભદ્ર સામાન્ય રીતે તેમના દરેક ગ્રંથને અંતે વિરહ' શબ્દ વાપરે છે, તે એમના ગ્રંથા પારખવા માટે એક ચિહ્ન છે. પર પરાગત કિંવદુન્તી પ્રમાણે ‘ વિરહ ' શબ્દ શ્રી હરિભદ્રના ખે ભાણેજ શિષ્યા હુસ અને પરમહંસનેા વિયાગ સૂચવે છે, જો કે શ્રી હરિભદ્ર પાતે કાંય પણ આ ખાખતના નિર્દેશ કરતા નથી. આ સંબંધી કિંવદન્તી ટૂંકમાં આ પ્રમાણે છે. શ્રી. હરિભદ્રે પેાતાના હંસને પરમહંસ નામના બે ભાણેજોને દીક્ષા આપી શિષ્ય કર્યાં. શાસ્ત્રાભ્યાસ કર્યાં પછી ખૌદ્ધશાસ્ત્ર શીખવા તેઓ ખૌદ્ધ વિદ્યાસ્થાનમાં ગયા. ત્યાં ગુરુને જૈનસાધુએ હોવાની શંકા જતાં પારખું કરવાની ઇચ્છા થઈ, એટલે તેણે ચાલવાના માર્ગ પર જિનપ્રતિમા રખાવી બધા શિષ્યાને તે ઉપરથી ચાલવા કહ્યું. હંસ ને પરમહંસ પ્રતિમા પર ખડીથી ત્રણ રેખા કરી અને એ રીતે જિનપ્રતિમાને ખુપ્રતિમા બનાવી તે ઉપર પગ દઈ અર્થ—પ્રથમ એ ચક્રવતી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, તે પછી એક વાસુદેવ અને ચક્રી, તે પછી કેશવ અને ચક્રવર્તી, ત્યારબાદ કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવતી થયા. ૧. જિતારિ રાન્તના પુરહિતની બાબત તેમજ હાથીના પ્રસંગ ખાટ્ટ કરતાં ઉક્ત અહેવાલની બધી બાબતેને સવાદ મુનિચ'દ્રસૂરિના ઉલ્લેખમાં ટૂ'માં મળે છે. તે ઉપરથી કહી શકાય કે આ કિંવદન્તી પ્રાચીન છે અને તેમાં ખાસ કોઈ અત્યુક્તિ ન હ।ઈ તેને સત્ય માની શકાય.( જુએ યાકાબીની સમરાઇચ્ચકહાની પ્રસ્તાવના પા. ૯)
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy