SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૬) ચીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, એકદા રાત્રીને વિષે પહેલી પિરસીમાં વિધિથી સ્વાધ્યાય કરી તે મુનિ પિતાના આત્માની નિંદા કરતે છતે ઉપાશ્રયમાં બેઠા હતા તે નિંદા આ પ્રમાણે – વિરતિ નહિ પામેલા અને થોડા પણ તપ કર્મ રહિત એવા મને ધિક્કાર થાઓ. હારાં સર્વ કર્મો શી રીતે ક્ષય પામશે? આ કાયોત્સર્ગે રહેલા શ્રેષ્ઠ ચાર સાધુઓ અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર માસના નિરંતર તપ કરે છે. આ પ્રમાણે પિતાની નિંદા અને બીજાની પ્રશંસા કરતા એવા તે કૂરગડુ સાધુ ધર્મધ્યાનમાં લીન થયા. આ વખતે દિવ્ય આભૂષણથી દેદીપ્યમાન એવી કે દેવીએ પેલા ચાર સાધુને ત્યજી કુરગડુ મુનિને નમસ્કાર કર્યો. અને અતિ હર્ષિત ચિત્તથી તેણીએ વારંવાર કુરગડુને કહ્યું કે “હે ભાવસાધુ કુરગડુ મુનિ ! તમે દીર્ધકાળ પર્યત જયવંતા વત. આ પ્રમાણે કહીને જેટલામાં તે દેવી પાછી વળી એટલે પેલા ચાર સાધુઓ ક્રોધથી તેણીને પ્રગટપણે કહેવા લાગ્યા. અહો ! આપણે સાંભળીએ છીએ કે દેવ અને દેવીઓને વિષે પરમ વિવેક હોય છે તે આ દેવીએ તપસ્વી એવા આપણને ત્યજી દઈ એ અવિરતિને કેમ વાં?” દેવીએ પાછા વળીને કહ્યું. “હે શ્રેષ્ઠ મુનિઓ! તમે વૃથા ક્રોધ ન કરે કારણ આ ભાવ સાધુ છે અને તમે દ્રવ્ય સાધુ છે. તે માટે મેં તમને ત્યજી એમને વંદના કરી છે વળી એમનું ભાવસાધુપણું તમે સવારમાંજ જાણશે.” આ પ્રમાણે કહીને દેવી તુરત પિતાને સ્થાનકે ગઈ અને ચાર સાધુઓ પણ ક્રોધથી આકુળ વ્યાકુળ થતા છતા રહ્યો. હવે સવારમાં નિર્મલ મનવાલા કુરગડુ મુનીશ્વર પિતાનું આવશ્યક કરી તેમજ બે ઘડીનું પચ્ચખાણ પૂરું કરી વિધિપૂર્વક શુદ્ધ આહાર લઈ આવ્યા. ત્યાર પછી તે વિધિથી પેલા સાધુઓની વિનંતિ કરીને જેટલામાં ભેજન કરવા બેસે છે. તેટલામાં ક્રોધાતુર થઈ રહેલા પેલા સાધુઓએ આવીને તેના ભેજનમાં (લેમ, મુખ અને નાસિકાન મલ) નાખે. અહે ! ક્રોધી પુરૂષે શું શું નથી કરતા? પછી તેટલા પ્રમાણ આહાર જુદો કરી ક્ષમાવંત એવો તે ઉત્તમ બુદ્ધિવાલે કુરગડુ મુનિ બાકીને આહાર કરતે છતે ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યું કે – “થોડા પણ તપ કર્મથી રહિત એવા મને પ્રમાદીને ધિક્કાર થાઓ. જે હું આ સાધુઓની વૈયાવચ્ચ પણ કરી શક્યું નથી. વલી એ પણ હારે પ્રમાદ છે જે એમના લેબ્સહારા ભેજનમાં પડ્યા. જે મેં એમના લેષ્મ નિવૃત્ત કર્યા હતા તે આમ થાત નહિ. તપ અને વૈયાવચ્ચ કરવામાં અસત છત હે જીવ! જે તું આવી રીતે મદ કરીશ તે હારી શી ગતિ થશે? આ પ્રમાણે હાથમાં ભજનને કેલીઓ લઈ શૂન્ય ચિત્તથી પિતાનાજ દેષને જોતા એવા તે મુનિ બહુ ખેદ કરવા લાગ્યા. પછી ધર્મ ધ્યાન કરી શુકલધ્યાન કરતા એવા તે કૂરગડુ મુનિને સર્વ અર્થ આપવામાં
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy