________________
શ્રીવાર નામના રાષિની કથા. -
(૭૫) શાઓને અભ્યાસ કર્યો, તેથી શ્રી અરિહંત પ્રભુના ધર્મને વિષે તેની વિશેષે બુદ્ધિ થઈ. પિતાના નિર્મલ ગુણોથી સર્વ મનુષ્યને આનંદ પમાડતે એ તે સુજાત, અનુક્રમે કામિનીઓના કામની ખાણ રૂપ વન પામે. શુદ્ધ પક્ષવાળે તે કુમાર, પિતાના સમાન ગુણ અને વયવાલા ઉત્તમ મિત્રોની સાથે હંમેશાં શુદ્ધ પાંખેવાળા હંસની પેઠે કીડા કરતો હતે.
- હવે તે નગરમાં તે વખતે રાજાને ધર્મઘોષ નામે સત્યવાદી પ્રધાન હતું. તેને પ્રિયંગુ નામની સ્ત્રી હતી. એકદા પ્રિયંગુ, નિરૂપમ એવા સુજાતને જોઈ તેના ઉપર અત્યંત અનુરાગ ધરવાથી પિતાની સખી પાસે તેની પ્રશંસા કરવા લાગી. આ પ્રમાણે સખીની પાસે સુજાતની પ્રશંસા કરતી એવી પિતાની પ્રિયાને સુજાત ઉપર અનુરાગ વાળી થએલી જાણું ધર્મઘોષ પ્રધાન પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “હા ! મહારું ઘર નાશ પામ્યું જે હારી પ્રિયા બીજા ઉપર આસક્ત થઈ. હવે એ સુજાત જીવતાં છતાં મને સુખ મળવાનું ક્યાંથી ? કારણ બીજાને વિષે આસક્ત થએલી નિર્દય સ્ત્રી, પિતાના પતિ વિગેરેને હણી નાખે છે. માટે કોઈ ઉપાયથી ધનમિત્રના પુત્રને મારી નાખ્યું જેથી *િચે કુટુંબ સહિત મને સુખ થાય, પરંતુ તેને પિતા રાજ્યમાન્ય અને સર્વ નગરમાં શ્રેષ્ઠ કહેવાય છે. જેથી તેના પુત્રને અપરાધ વિના શી રીતે મારી શકાય ? હા, જેણે કરીને રાજાઓ પણ પિતાના અસાધ્ય કાર્યને સાધી શકે છે, તેવી બુદ્ધિ હારે છે તે પછી શી ચિંતા રાખવી. જેને માટે કહ્યું છે કે –
__ यस्य बुद्धिर्वलं तस्य, निर्बुद्धेश्च कुतो बलं ॥
वने सिंहो मदोन्मत्तः, शशकेन निपातितः ॥१॥ જેની બુદ્ધિ તેનું બલ, બુદ્ધિ રહિતને બલ કયાંથી હોય ? બુદ્ધિના બલથી સસલાએ મદેન્મત્ત સિંહને કુવામાં નાખ્યો. ૧ છે
પછી કપલેખથી તે ધર્મઘોષ મંત્રીએ રાજાને સુજાત ઉપર બહુ કપ પમાડ.
હવે એમ બન્યું કે પારખુરી પુરીને રાજા ચંદ્રધ્વજ આ મિત્રપ્રભ રાજા પાસે કાંઈ કામની માગણી કરતા હતા. તેથી મિત્રપ્રભે આ સુજાતને એક ચીઠી આપી તેની પાસે મારી નાખવા મો. સુજાત પણ નિષ્કપટપણે ચંદ્રધ્વજ રાજા પાસે જઈ હર્ષને નાશ કરનારી પોતાના રાજાની ચીઠી આપી. ચીઠી વાંચી વૃત્તાંત જાણું બહુ ખેદ પામેલા ચંદ્રધ્વજ રાજાએ તેને ચીઠી ન દેખાડતાં છતાં પૂછયું કે “હે ઉત્તમ બુદ્ધિવાળા વત્સ! તે રાજાને એવો છે અપરાધ કર્યો છે કે જેણે તને આવો અધમ હુકમ કરીને હારી પાસે મોકલ્યો ?” સુજાતે કહ્યું. તેમને કાંઈ પણ અપરાધ કર્યો નથી તેમજ મને વધ કરવા માટે અહીં શામાટે મે તે પણ હું જાણતા નથી. આપ તે રાજાના હુકમ પ્રમાણે ઝટ કરે. એમાં તમારે શ ષ છે. કારણ કયાં પુરૂષનું પૂર્વ ભવોપાર્જિત કર્મ નાશ પામે છે?” ચંદ્રધ્વજ રાજાએ તેને