SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક યુદ્ધ શ્રીનમિરાજષિત ચરિત્ર ( 39 ) જોઇ હું પામી અને કર્મના ક્ષય કરવા માટે નિર્મલ ચિત્તથી દીક્ષા લીધી. હવે અવતી અને મિથિલા એ બન્ને નગરીઓના અધિપતિ બનેલા મિરાજા, પૃથ્વીને વિષે પાતાના પરાક્રમથી અનુક્રમે પ્રચંડ આજ્ઞાવાલા થયા. એકદા નમિભૂતિના દેહને વિષે પૂર્વકના વિપાકથી વૈદ્યોને પણ અસાધ્ય એવા છમાસિક મહાદાહવર ઉત્પન્ન થયા. અંતઃપુરની સીએ, તેને શાંત કરવામાટે વિલેપનાર્થે શ્રીખંડ ચંદનને ઘસતી હતી. પરંતુ તેણીના કકાના મહા શબ્દ નમિરાજાને વાજીંત્રાના શબ્દથી પણ વધારે દુ:શક્ય થઈ પડયા અને તેજ વખતે વારવાર મૂર્છા પામવા લાગ્યા. પછી તે સવે સ્ત્રીઓએ પોતાના વલયશબ્દથી પીડા પામતા ભૂપતિને જાણી ફ્ક્ત મંગળ નિમિત્તે એક એક વલય હાથમાં રાખી બાકીનાં ઉતારી નાખ્યાં. “ હવે કંકણના શબ્દ કેમ સંભાલતા નથી ? ” એમ રાજાના પૂછવા ઉપરથી પાસે બેઠેલા સેવકાએ કહ્યું કે “ હે વિભા ? ફક્ત હાથમાં એક એક કકણુ રાખ્યું છતે તેના શબ્દ ક્યાંથી સંભળાય ? કારણ શબ્દની ઉત્પત્તિ તા કંકણાના સમૂહથી જ થાય છે. ” સેવકેાનાં આવાં અમૃત સમાન મધુર વચન સાંભળીને નમિરાજા પ્રતિધ પામીને શાંત મનથી વિચાર કરવા લાગ્યા. “ જેમ સંચાગથી ( એ વસ્તુઓ ભેગી થવાથી) શુભ અને અશુભ શબ્દો થાય છે, તેમ જ સંચાગ અને વિયાગથી ઉત્પન્ન થએલા રાગાદિ દાષા હોય છે. મનુષ્ય, સુખની પ્રાપ્તિને માટે જેટલાં કુકર્મ કરે છે. તેટલાંજ દુઃખ તે અવશ્યપણે નિશ્ચય ભાગવે છે પ્રાણી, માહને લીધે જેની જેની સાથે સંબંધ કરે છે તેની તેની સાથે કરી શલ્ય સમાન પરિણામ અનુભવે છે. માટે જો હવે હું આ રાગથી મુક્ત થઉં તા સર્વ મૂકી દઇને સુખના મૂલ રૂપ સર્વ સગના ત્યાગને અર્થે પ્રયત્ન કરીશ, આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને નિદ્રા આવવાથી તેજ વખતે છ માસિક દાહવર તદ્ન શાંત થઇ ગયા. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે નિદ્રાવશ થએલા તે રાજાએ રાત્રીને વિષે સ્વસ દીઠું કે “ જાણે હું ઇંદ્રની પેટે કૈલાસ પર્વત સમાન ઉજ્વલ હસ્તિ ઉપર એસી મેરૂ પર્વતના શિખર ઉપર ચઢયા.” સવારે મંગલ વાજીંત્રાના શબ્દથી જાગૃત થએલા અને જાણે અમૃતપાન કર્યું હાયની ? એમ નિરોગી થએલા તે નિમરાજા વિચારવા લાગ્યા. “ મે સ્વમામાં દીઠેલા પર્વત નિશ્ચે કોઈ સ્થાનકે દીઠા છે. ” આમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. “ જ્યારે હું પૂર્વ શુક્ર દેવલાકમાં દેવતા હતા ત્યારે વિમાનમાં બેસી આકાશ માર્ગે જતા એવા મે” અરિહંત પ્રભુના જન્મ વખતે એ પર્વત જાયા હતા.” પછી કંકણ્ણાના નિરાખાધપણાની પેઠે એકલાપણાના વિચાર કરતા એવા તે નિમરાજાએ, પ્રત્યેકબુદ્ધપણું પામીને દીક્ષા લીધી. તે વખતે એકી વખતે રાજ્ય, પુર અને અંત:પુર ત્યજી દેતા એવા નિમન જોઇ ઇંદ્રે તેમને નમસ્કાર કર્યો ઇંદ્ર, માનરહિત, માયારહિત, નિષ્ક્રય, નિર્મલ મનવાળા અને મહર્ષિઆએ પૂજેલા નિમ રાજાની બહુ // તિ શ્રી નમિષત્રિ સમાસમ્ ॥ "" પ્રશંસા કરી.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy