SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનમિશર્ષિતુ ચરિત્ર. ( ૩૧ ) તાની દેશનારૂપ અમૃતથી તે વિદ્યાધરાધિપતિને શાંતિ પમાડી, પછી મણિપ્રભ, મુનિની પાસે સ્વદારાસ તાષ નામનુ વ્રત અંગીકાર કરી અને તેમને નમસ્કાર કરી મનરેખાને કહ્યુ કે “ હવેથી તું મ્હારી માતા અથવા મ્હેન છે. ” હર્ષિત મનવાળી સતી મદનરેખા પણ પોતાના શીલખંડન રૂપ આપત્તિના અંત આવ્યે જાણીને તે મહામુનિને પોતાના પુત્રના કુશલ સમાચાર પૂછ્યા. મુનિએ કહ્યુ “ હું શુભે ! શાક ત્યજી દઈ સ્થિર ચિત્તથી સાંભલ. આ જમૂદ્રીપમાં પુષ્કલાવતી નામે વિજય છે, ત્યાં મણિતારણુ નગરમાં મહાબલવંત એવા અમિતયશ નામે રાજા રાજ્ય કરે છે. એ રાજાને પુષ્પવતી નામે સ્ત્રી છે. તેઓને ધર્મકાર્યમાં તત્પર, વિનયવંત. અને દયાવંત એવા પુષ્પસિંહ અને રત્નસિંહ નામના બે પુત્રા થયા. ભૂપતિએ ચારણુમુનિ પાસે દીક્ષા લીધે છતે અન્ને પુત્રા ચેારાસી લાખ પૂર્વ રાજ્ય ભાગવી અને સાલ લાખ પૂર્વ દીક્ષા પર્યાયપાલી અંતે મૃત્યુ પામીને અશ્રુત દેવલાકમાં સામાનિક દેવતાઓ થયા. ત્યાંથી ચવીને તેઓ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં હરિષેણુ સમુદ્રદત્તાના પુત્રપણે ઉત્પન્ન થયા. પેહેલા સાગરદેવ અને બીજો દત્ત, અનુક્રમે તે મિ અને પરસ્પર પ્રીતિરૂપ અમૃતથી સિંચાયલા થયા. પછી અખ ંડિત એવા વૈરાગ્યથી ભ્યાસથએલા તે અન્ને જણાએ અગીયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથસ્વામી પાસે દીક્ષા લીધી, ત્રીજે જ દિવસે વિજલી પડવાથી કાલધર્મ પામેલા તેઓ,પહેલા દેવલેાકમાં મહાસમૃદ્ધિવંત એવા દેવતાથયા. એકદા આ ભરતક્ષેત્રમાં તેઓએ શ્રીનેમિનાથ જિનેશ્વરને પૂછ્યું કે “ અમારે હજી સુધી સ ંસાર કેટલા બાકી છે ?” પ્રભુએ કહ્યું, “તમારા બન્નેમાંથી એક જણ મિથિલા નગરીના જયસેન ભૂપતિના પહેલા પદ્મરથ નામે પુત્ર થશે અને ખીજા સુદર્શનપુરના યુગમાડુ રાજાની સ્ત્રી મનરેખાના પુત્ર પણે ઉત્પન્ન થશે. અનુક્રમે તમે બન્ને જણા પિતા પુત્રના સંબંધને પામી, રાજ્યપદ ભાગવી, પ્રતિખાધ પામી તેમજ કમલના નાશ કરી ઘેાડા કાળમાં મેક્ષપદ પામશે. ” આ પ્રમાણે બન્ને દેવતાએ પોતાનું એકાવતારીપણું સાંભળીને પછી આયુષ્ય પૂર્ણ થયે તેમાંથી એક મિથિલાનગરીના પદ્મરથ રાજા થયા. કાઈ દિવસ વિનીત અને વનમાં ખેચી આણેલા તે રાજાએ વૃક્ષ નીચે હારા પુત્રને દીઠા. પછી બહુ હર્ષ પામેલા મિથિલાધિપતિએ પુત્રને લઇ નગરીમાં આવીને પોતાની પ્રિયા પદ્મમાળાને સોંપ્યા અને મ્હોટા જન્મમહાચ્છવ કરાવ્યા. ચાર જ્ઞાનના ધારગુહાર મણિચૂડ ચારણમુનિ મદનરેખાને આ પ્રમાણે વાત કરે છે તેટલામાં આકાશથી પુષ્પવૃષ્ટિ થવા પૂર્વક સૂર્યમંડળ સમાન વાજત્સ્યમાન એક વિમાન ત્યાં આવ્યું. કોઇ એક કાર્યના જાણુ અને દિવ્ય આભૂષણાને ધારણ કરનારી કાઇ એક દેવ, તે વિમાનમાંથી નીચે ઉતરી સતી મનરેખાને પ્રણામ કરી અને પછી ચારણમુનિને પ્રણામ કરી તેમના આગળ બેઠા. દેવતાનું આવું વિલેમ કાર્ય જોઈ મણિપ્રભે તેનું કારણ પૂછ્યું એટલે દેવતાએ સ્પષ્ટ કહ્યું “ હું પૂર્વભવમાં મણરથ રાજાના ન્હાના ભાઈ યુગમાડુ હતા. મને મ્હારા મ્હોટા બંધુએ વેરથી માર્યા પરંતુ 29
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy