SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫૮ ) શ્રી ઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરા * સૂરિએ તેમને “ તું અયેાગ્ય છે” એમ કહી વાચના ન આપી. પછી સ્થૂલભદ્ર દીક્ષા લીધાના દિવસથી આરંભી પેાતાના અપરાધના વિચાર કરવા લાગ્યા. બહુ વિચાર કરીને તેમણે ગુરૂને કહ્યું, “ મને મ્હારા કાંઈ અપરાધ સાંભરતો નથી. ” ગુરૂએ કહ્યું. “ અરે એકતો તું અપરાધ કરીને પાછે માના નથી. ” સ્થૂલભદ્રને પોતાના અપરાધ યાદ આવ્યા તેથી તેણે ગુરૂના ચરણમાં પડી કહ્યું કે “ હે ભગવન્ ! આ એક મ્હારા અપરાધને ક્ષમા કરો. હવે હું તેવા અપરાધ નહિ કરૂં. ” આવી રીતે સ્થુલભદ્રે બહુ વિન ંતિ કરી પરંતુ ગુરૂએ તેમને વાચના આપી નહીં; તે ઉપરથી શ્રીસધ એકઠા થઇ ગુરૂને વિનતિ કરવા લાગ્યા. “ હું ભગવન્! જો સ્થૂલભદ્ર વિના ખીજો કોઇ શિષ્ય હાય તા તેને આપ બાકીના અભ્યાસ કરાવેા.” ગુરૂએ કહ્યું. “ સ્થૂલભદ્ર વિના બીજો કોઇ યાગ્ય શિષ્ય નથી, પરંતુ એ સ્થૂલભદ્રને કાલના પ્રભાવથી આવા પ્રમાદ થયા છે. હવે ખાકીના પૂર્વી મ્હારી પાસે રહેા, હું તેને તે નહિ ભણાવું. એ તેના કરેલા અપરાધના દંડ ખીજાની શિખામણુ માટે થશે.” પછી શ્રીસ ંઘે બહુ આગ્રહ કર્યો એટલે સૂરિએ ઉપયોગ દઇને જોયું તે તેમના જાણવામાં આવ્યું કે · બાકીના ચારે પૂર્વના મ્હારાથી ઉચ્છેદ થવાના નથી.” પછી તેમણે સ્ફુલિભદ્રને “ ત્યારે આ બાકીના ચાર પૂર્વે કાઈને ન શિખવાડવાં.” એવા અભિગ્રહ આપીને વાચના આપવા માંડી, શ્રી ભદ્રબાહુસૂરિએ સ્થૂલિભદ્રને સર્વ પૂર્વના જાણ કરી હપૂર્વક પેાતાને પદે સ્થાપ્યા. ત્યાર પછી તે પોતે શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી એકસે ને સિત્તોતેર વર્ષી ગયે તે સમાધિથી સ્વર્ગ પ્રત્યે ગયા. પછી શ્રી સ્થૂલભદ્રસૂરિ અનેક સાધુના પરિવારસહિત પૃથ્વી ઉપર વિહાર કરતા શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે વખતે શ્રાવસ્તી નગરીમાં રહેનારા સર્વ લેાકેા મનમાં બહુ હર્ષ પામતા છતા તેમને વંદન કરવા આવ્યા. વિશ્વનું કુશલ કરનારા શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરે પણ તેમને અમૃતરસ સમાન નવીન ધર્મદેશના આપી. સ્થૂલભદ્રે દેશનાને અંતે વિચાર કર્યો કે “હજી સુધી મ્હારો ધનદેવ નામના !મત્ર મને વંદન કરવા કેમ ન આવ્યે ? શું તે દેશાંતર ગયા છે કે તેને કાંઈ રાગની પીડા થઈ છે ? ચાલ હું તેના ઘરે જાઉં, કારણ પ્રાણી ઉપર દયા કરવી એ મ્હારા ધમ છે.” આવી રીતે વિચાર કરી અનેક જનાથી વંદન કરાતા સ્થૂલભદ્ર પોતાના મિત્ર ધનદેવને ઘરે આવ્યા. ત્યાં ધનદેવની સ્ત્રી ધનેશ્વરીએ તેમની ભક્તિ કરી. સ્થૂલભદ્રે તે સ્ત્રીને પૂછ્યું. “હું શુભાનને! મ્હારા મિત્ર ધનદેવ કયાં છે ? ” સ્ત્રીએ કહ્યું. “ તમારા મિત્ર દ્રવ્ય કમાવા માટે પરદેશ ગયા છે. પછી સૂરિ એ ધર્મોપદેશના મિષથી હાથની સંજ્ઞાવડે સ્તંભની નીચે રહેલું દ્રવ્ય સ્ત્રીને જણાવ્યું તે એવી રીતે કે—આ સ*સારનું સ્વરૂપ કેવું છે ? તે કે જેવું ત્હારૂં ઘર તેવાજ ત્હારા પતિના વેપાર છે. ” સૂરીશ્વર આવી રીતે વારવાર ધનેશ્વરીને કહી પાતે ધર્મની પ્રભાવના કરતા છતા ખીજે વિહાર કર્યો.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy