SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૬) શ્રીબીજમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ ન આપું, ત્યાં સુધી હારે “મો સરિતા” એ વચન બોલ્યા કરવું.” મહાવત બહુ તૃષાતુર હતા તેથી તે એ પ્રમાણે બોલવા લાગે અને જિનદાસ, રાજપુરૂની રજા લઈ પાણી લઈ આવ્યા. પાણીને આવેલું જોઈ શાંત થએલે મહાવતા જો શરિતા » એ શબ્દને ઉચ્ચાર કરતે કરતે તુરત મૃત્યુ પામ્યો. જો કે તે મહાવત દુરાચારી હતું તે પણ કરેલી અકામનિર્જશના પુણ્યગથી તેમજ નવકારના પ્રભાવથી વ્યંતર દેવતા થયે. હવે પેલી વ્યભિચારિણી રાણી ચેરની સાથે ચાલવા લાગી એવામાં માર્ગે જલના પૂરથી ન ઉતરી શકાય એવી એક નદી આવી. ચોરે તે દુરાચારિણીને કહ્યું. “હે પ્રિયે! વસ્ત્રાભૂષણના ભાર સહિત તને હું એક વખતે ઉતારી શકવા સમર્થ નથી, તેથી આ વસ્ત્રાભૂષણેને ભાર મને આપ. હું પ્રથમ તેને સામે તીરે મૂકીઆવીને પછી તને ક્ષેમકુશળ ત્યાં પહોંચાડીશ. હું જ્યાં સુધીમાં અહીં આવું ત્યાં સુધી તું આ નદીના કાંઠે ઉગેલા શરના સમૂહમાં સંતાઈ રહે. એકલી છતાં પણ તું હીશ નહીં. હું હમણાં ઝટ પાછો આવું છું. હું તને હારી પીઠ ઉપર બેસારી વહાણની પેઠે તરતા છતે સામે કાંઠે પહોંચાડીશ. હે પ્રિયે ! હારું વચન માન.” પછી તે દુરાચારિણુએ શરના સમૂહમાં પેસી તેના કહેવા પ્રમાણે કર્યું. ચાર પણ વસ્ત્રાભરણ સહિત નદીના સામે કાંઠે જઈ વિચાર કરવા લાગ્યું. “જેણે હારા ઉપર અનુરાગ ધરી પિતાના પતિને પણ મારી નાખે તે ક્ષણ માત્ર રાગ ધરનારી સ્ત્રી મને પણ નિચે આપત્તિ કરનારી થશે. ” આવો વિચાર કરી તે ચોર, વસ્ત્રાભરણ લઈ ઉંચું મુખ કરી તે સ્ત્રીને જેતે જેતે હરિની પેઠે નાસી જવા લાગ્યું. તેને નાસી જતે જોઈ નગ્ન રહેલી પેલી સ્ત્રીએ કહ્યું કે “ અરે ! તું મને ત્યજી દઈ કયાં નાસી જાય છે ? ” ચારે કહ્યું. “તને કૃતઘને જાણ હું નાસી જાઉં છું. હારાથી હારે સર્યું. ” આમ કહીને પછી તે ચોર પક્ષીની પેઠે નાસી જતો છતે અદશ્ય થઈ ગયો અને પતિને નાશ કરનારી તે દુષ્ટા તે ત્યાંજ રહી. હવે મહાવતને જીવ કે જે દેવતા થયો હતો. તેણે અવધિજ્ઞાનથી જોયું તે આવી સ્થિતિ પામેલી તે સ્ત્રીને વનમાં એકલી દીઠી. પછી પિતાના પૂર્વજન્મની સ્ત્રીને બાધ આપવા માટે તે દેવતાએ મુખમાં માંસના કકડાવાળું એક શીયાળનું રૂપ ધારણ કર્યું. તે ત્યાં નદીને તીરે માંસના કકડાને પડતે મેલી પાણીથી બહાર ઉંચું મુખ રાખીને રહેલા એક મલ્યને પકડવા દોડયું. મત્સ્ય તુરત નદીમાં પેશી ગયું અને માંસને કકડે શમળી લઈ ગઈ. - આ કૌતુકને જોઈ નદીના તીરે શરના વનમાં બેઠેલી નગ્ન સ્ત્રીએ દુખથી દગ્ધ થયા છતાં પણ તે શીયાલને કહ્યું. “અરે દુર્મતિ શિયાલ! તે માંસને કકડો ત્યજી દઈ મત્યની ઈચ્છા કરી તો તું માંસ અને અને મરય બનેથી ભ્રષ્ટ થ. હવે જોયા કરે છે ? શિયાલે કહ્યું. “હે નગ્ન સ્ત્રી ! તે પણ પિતાના
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy