SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ’સ્વામી' નામના ચમકેવલીની કથા. (૩૫) રાજએ તે મન્નેને અભય આપ્યું. એટલે મહાવને હસ્તિને ધીમે ધીમે તેને સ્થાનકે પહોંચાડયા. પછી રાજાના ભયથી નાસી જતા તે બન્ને જણા ( મહાવત અને રાણી ) કોઈ એક ગામ પાસે આવી પહાચ્યાં. ત્યાં તેએ એક શૂન્ય દેવાલયમાં સાથે સૂતાં. હવે એમ બન્યું કે તેજ ગામમાં મધ્ય રાત્રીએ ચારી કરીને નાસી જતા ચારે પાછલ આવતા રક્ષક પુરૂષાના ભયથી તે મંદીરમાં પ્રવેશ કર્યાં. “ સવારે આપણે ચારને પકડી લઈશું. ” એમ નિશ્ચય કરી રક્ષક પુરૂષા દેવમંદીરને ફ્રી વલ્યા. અહીં મહેલની પેઠે દેવમંદીરમાં પેલા ચાર હાથ ફેરવતા ફરવતા જ્યાં પેલા બન્ને જણાં સૂતાં હતાં, ત્યાં આવી પહેાંચ્યા. ચારે સ્પશ કર્યા છતાં મહાવત જાગ્યેા નહીં, કારણ થાકી જવાથી ઉંધી ગએલા માણસને અહુ નિદ્રા આવે છે. રાણીને ચારના હાથના સ્પર્શ થયા કે તે તુરત જાગી ગઈ અને સ્પર્શ માત્રથી અનુરક્ત થવાને લીધે તેણે પેલાને પૂછ્યું કે “ તું કોણ છે ? ” તેણે ઉત્તર આપ્યા કે “ હું ચાર છું. હે શુભે ! મ્હારી પાછલ રક્ષક પુરૂષો દોડતા આવતા હતા તેથી હું મ્હારા પ્રાણનું રક્ષણ કરવા માટે અહીં પેડા છું. ” વ્યભિચારિણી રાણીએ કહ્યું. હારા ઉપર બહુ અનુરાગવાલી થઇ છું, માટે જો તું મને અંગીકાર કરે તે હું તને નિશ્ચે ખચાવું. ” ચારે કહ્યું. તું એક તા મ્હારા પ્રાણ બચાવે છે અને બીજી મ્હારી સ્ત્રી થાય છે, તે પછી આજે મને સુગધવાળું સુવર્ણ મળ્યુ. એમ થયું છે. પણ ભદ્રે ! હું તને પૂછું છું કે તું મને શી રીતે ખચાવીશ ? તે તું મને કહીને શાંત કર. ” સ્ત્રીએ કહ્યું. “ સવારે રાજપુરૂષા આવીને પૂછશે ત્યારે હું તને દેખાડીને કહીશ કે આ મ્હારા પતિ છે. ” ચારે કહ્યુ, “ એમ થાએ. ” te kk પ્રભાત થતાં ઉગ્ર કર્મ કરનારા અને શસ્ત્રધારી સુભટાએ આવીને ક્રોધથી તે ત્રણે જણાને પૂછ્યું કે “ તમારામાં ચાર કાણુ છે ? ” ધૃત્ત અને માયાવાલી સ્ત્રીએ તુરત તે રક્ષક પુરૂષાને પેલા ચાર સામે આંગલી કરીને ખ્યુ કે “ આ મ્હારા પતિ છે. ’ પછી જડ એવા તે રક્ષક લેાકેાએ મહાવતને આજ્ઞાનથી ચાર જાણી તુરત શૂલિએ ચડાવ્યા. ધિક્કાર છે સ્ત્રી ઉપર પ્રીતિ રાખનારને. પછી શૂળિ ઉપર પરાવાએલા ચારને તૃષા લાગી, તેથી તે માર્ગને વિષે જેને જેને જતા દેખે, તેને તેને “ મને પાણી પાએ, પાણી પાએ ” એમ કહે પણ કાઈ રાયભયને લીધે તેને પાણી પાય નહીં.... કારણ કે સર્વે માણસા પેાતાના આત્માનું રક્ષણ કરવા પછી ધર્મ કાર્ય કરે છે. હવે જિનદાસ નામના કાઇ શ્રાવક, તે રસ્તે થઈને જતા હતા, ચાર તેને જોઇ તેની પાસે પાણી માગ્યું, એટલે તેણે કહ્યું કે “ જો તું મ્હારા કહ્યા પ્રમાણે કર તા હું તને પાણી લાવી આપું અને તે એજ કે હું જ્યાં સુધીમાં પાણી લાવી S
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy