SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૦). પ્રીષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ પામતાં નથી.” પ્રભુનાં આવાં વચન સાંભલી તે વખતે જંબુદ્વીપનો પતિ કે જેનું નામ પણ તેવુંજ (જંબુદ્વિપ પતિ.) હતું તે ઉંચા સ્વરથી કહેવા લાગ્યું કે “અહે? પૃથ્વીમાં હારું કુલ વખાણવા ગ્ય છે.” આ અવસરે શ્રેણિક રાજાએ હાથ જોડી શ્રી મહાવીર પ્રભુને પૂછયું. “હે સ્વામિન્ ! આ દેવતા પિતાના કુલની પ્રશંસા શા વાતે કરે છે? શ્રી જિનશ્વરે કહ્યું - હે રાજન ! આ નગરને વિષે ડાહ્યા પુરૂષોમાં શિરેમણિ અને પ્રસિદ્ધ એ ગુપ્તિમતિ નામે શ્રેષ્ઠી હતું. તેને અનુક્રમે ગુણવંત બે પુત્ર થયા હતા તેમાં મહેટાનું નામ રુષભદત્ત અને ન્હાનાનું જિનદાસ હતું. શ્રેષ્ઠીને માટે પુત્ર રાષભદત્ત સારા આચારવાલે થયો અને ન્હાને પુત્ર જિનદાસ વ્યસની થયો. મહટા ' ભાઈએ ન્હાનાને વ્યસની જાણ તેને ત્યજી દીધે, અને તે સર્વ ઠેકાણે એમ કહેવા લાગ્યું કે ગુપ્તિમત્તિ શેઠને હું એકજ પુત્ર છું. પાપરહિત એવા તે રુષભદત્ત, પિતાના ન્હાના ભાઈને કુતરાની પેઠે ઘરમાં પણ આવવા દેતે નહીં. જિનદાસ બહુ જુગટું રમતે. તે કઈ એક દિવસે બીજા કેઈ જુગટુ રમનારા પુરૂષની સાથે પણ કરી જુગટુ રમવા લાગ્યા. બન્નેને જુગટામાં વિવાદ થયે તેથી પેલા પુરૂષે જિનદાસને શસ્ત્રપ્રહારથી માર્યો. નિચે દુતરૂપ પામવૃક્ષનું આવું શસ્ત્રઘાતની પીડારૂપ ફલ હોય છે. પછી પૃથ્વી ઉપર આલેટતે એવો જિનદાસ જાણે અતિ રાંક હોયની? એમ દેખાતે હતે. પછી સ્વજનેએ એકઠા થઈ ભદત્તને કહ્યું કે “હે શ્રાવકશિરોમણિ ! તું ધર્મરૂપ મૂળવાળી દયાવડે પિતાના પીડા પામતા ભાઈને જીવાડ.” ‘સ્વજનેએ બહુ આગ્રહથી કહેલા વર્ષે પોતાના ભાઈ જિનદાસ પાસે જઈને કહ્યું કે “હે બંધ! તને ઉત્તમ ઔષધાદિકથી સુખ કરીશ.” જિનદાસે કહ્યું “હે. ભાઈ! તમે હારા બહુ અપરાધને ક્ષમા કરે અને હવે જીવિત પૂર્ણ થએલા એવા મને પરલેક સંબંધી ભાથું આપો.” ઋષભદત્તે કહ્યું. “હે વત્સ ! હવે તું હર્ષથી અનશન સ્વીકાર અને એકાગ્ર મનથી પરમેષ્ઠી મંત્ર-નમસ્કારને જપ કર.” આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિવાલા અષભદતે પિતાના ન્હાના ભાઈને શીખામણ આપી પોતે તેને વિધિ પ્રમાણે આરાધના કરાવી. છે (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે, હે રાજન ! પછી તે જિનદાસ પંડિતમૃત્યુથી મરણ પામી જંબુદ્વીપને પતિ અને મહાસમુદ્ધિવાલે દેવ ઉત્પન્ન થયો છે. તેણે રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીને પુત્ર જંબુકમાર અંત્ય કેવલી થશે.” એવા અમારાં વચન સાંભલ્યાં તેથી હર્ષિત ચિત્તવાલે થએલે તે પિતાના 'કલમાં કેવલીને પવિત્ર જન્મ સાંભલી પિતાના કુલની બહુ પ્રશંસા કરે છે.” - શ્રેણિક રાજાએ પૂછયું. “હે પ્રભો ! ગુરૂ, શુકાદિ ગ્રહોની મળે સૂર્યની પેઠે આ વિદ્યુમ્માલી દેવતા સઘલા દેવતાઓની મધ્યે અધિક તેજવાન કેમ દેખાય છે? ગવાને કહ્યું:
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy