SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને સિંહ નામના ઋનિપુગની કથા (૨૩) તેથી મહાભાગ્યના સમુદ્ર રૂપ તે મહાપદ્યનું ગુણથી ઉત્પન્ન થએલું બીજું નામ દેવસેન એમ પ્રજા કહેશે. જેમ ચક્રવર્તિને ચક્ર ઉત્પન્ન થાય તેમ શૈર્યવંત એવા તે શાને ઇંદના હસ્તિ અિરાવણના સરખો ચાર દાંતવાળે તહસ્તિ પ્રાપ્ત થશે. તે હસ્તિ ઉપર બેઠેલા તે રાજાની સમૃદ્ધિથી હર્ષ પામેલા માણસે તેનું વિમલવાહન રાજા એવું નામ કહેશે. એકદા તે રાજાને પૂર્વભવના અભ્યાસથી જેનરાજર્ષિઓના દ્વેષ કરવાથી સાધુઓને વિષે અતિ દુઃખ આપનાર દુષ્ટ પરિણામ ઉત્પન્ન થશે. તેથી તે ઉહ, મારણ, બંધ, તાડન અને નિંદા ઈત્યાદિથી દેખેલા અથવા સાંભવેલા સાધુઓને બેલાવી બોલાવીને નૃત્ય કરાવશે. પછી નગરવાસી શિકે અને પ્રધાનાદિ તેને વિનંતિ કરશે કે “રાજાએ સાધુનું પાલન કરવું અને દુષ્ટને દંડ આપવો જોઈએ. હે સ્વામિન્ ! આ ભિક્ષાવૃત્તિ કરનારા અપરાધ વિનાના અને તપ રૂપ દ્રવ્યવાસા મુનિઓની રક્ષા ન કરતાં તેઓને શામાટે હણે છે ? તમે તેઓને તાડના કરો છો પણ તેથી જે કઈ મહામુનિ કોધ કરશે તે તે પોતાના તેજથી દેશ અને સાસહિત તમને ભસ્મરૂપ કરી દેશે.” પ્રધાનાદિ લેકે આ પ્રમાણે બહુ મહેર એટલે રાજા તે ચિત્તવિના અંગીકાર કરશે. એકદા તે મહાપદ્મ રાજા રથમાં બેસી કીડા કરવા માટે ઉદ્યાનમાં જશે. ત્યાં જેમને તેજલેશ્યા ઉત્પન્ન થઈ છે એવા તેમજ આતાપના કરતા અને કાર્યોત્સર્ગક્યાં રહેલા સુમંગળ નામના મુનિને જેશે. કારણ વિના સાધુને જેવાથી ક્રોધ પામેલે તે પાપ બુદ્ધિવાળે રાજા તેમની પાસે જઈ રથના અગ્રભાગથી તે મહામુનિને પાડી દેશે, મુનિરાજ ફરી ઉઠીને કાર્યોત્સર્ગ કરશે. રાજા તેમને ફરી પાડી નાખશે. સુમંગળ મુનિ ફરી ઉઠીને કયેત્સર્ગ કરશે. પછી તે સુમંગલ મુનિરાજ અવધિજ્ઞાનથી તે મહાપાના આગલા ભવાને જાણે તેને આ પ્રમાણે કહેશે કે – “અરે તું દેવસેન નથી તેમ વિમલવાહન નથી પણ મંખલીને પુત્ર દુષ્ટ ચિત્તવાલે ગોશાલે છું. અરે, દુષ્ટ એવા તે દેશાલાના ભવને વિષે ધર્માચાર્ય એવા શ્રી વીરજિનેશ્વરને અશાતા પમાડ્યા છે એટલું જ નહીં પણ તેમના બે શિષ્યને બાલી ભસ્મરૂપ બનાવ્યા છે, તે વખતે તેઓએ જેવી ક્ષમા રાખી છે તેવી હું રાખીશ નહીં અને યોગથી પ્રાપ્ત થએલી તેલેશ્યાવડે હું તને ભસ્મરૂપ કરી નાખીશ.” જેમ ઘી નાખવાથી અગ્નિ વધારે જવાજલ્યમાન થાય એમ તે સુમંગલ સુનિના કહેવાથી અત્યંત ક્રોધાતુર થએલે મહાપદ્મ રાજા તે સુમંગલ મુનિને ફરી પાડી દેશે. પછી ઉત્પન્ન થએલા ક્રોધવાલા તે સુમંગલ મુનિરાજ પિતાની તેજે લેસ્થાથી મહાપદ્મને બાળી નાખશે. ત્યાર પછી તે મુનિરાજ તે પાપની આલોચના લઈ દીર્ધકાલ પર્યત ચારિત્ર પાલી અને એકમાસનું અનશન લઈ સર્વાર્થસિદ્ધ લેકપ્રત્યે જશે. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી અને પછી વી વિદેડ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાં દીક્ષા લઈ મોક્ષ પામશે, મહાપ રાજા પણ સાતમી નરકે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy