SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯ર) શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ પુત્ર પદ્યરથને રાજ્યાભિષેક કર્યો અને પિતે ઉદઘોષણા પૂર્વક દીન અને દુઃખી જનેને સુવર્ણ, વસ્ત્ર અને રત્નાદિ બહુ દાન આપી આજ્ઞાકારી દાસી અને દાસ સાથે રાખી પિતાની નહિ પ્રગટ કરેલા ગર્ભવાળી રાણીની સાથે તાપસવ્રત લીધું. પછી તાપસવ્રતને પાલવા અસમર્થ એવા દાસ દાસીએ કાલે કરીને તે વ્રત ત્યજી દીધું. અવસરે તાપસીએ એક પુત્રીને જન્મ આપ્યો અને પોતે અચાનક મૃત્યુ પામી. મુનિએ પુત્રીનું અર્ધસંકાશા નામ પાડયું. પિતાએ કષ્ટથી દૂધ પાનાદિવડે લાલન પાલન કરેલી તે પુત્રી અનુક્રમે વિશ્વને મેહ પમાડનારી યુવાવસ્થા પામી. વિકારરહિત એવી તે પુત્રી પિતાની સેવા કરતી તેથી પિતા તે પુત્રીને જોઈ બહુ કામાતુર થયે. અહો! કામને કેઈ અપૂર્વ મહિમા દેખાય છે, કે જે કામથી પ્રેરાયલે પુરૂષ, જિતેંદ્રિય છતાં પણ કૃત્ય અકૃત્ય જાણતું નથી. વિશ્વને વંદન કરવા ગ્ય અને ધન્ય એવા તે તે ઉત્તમ પુરૂષ છે કે જેમને દિવ્ય રૂપવાલી સ્ત્રીઓને જોયા છતાં પણ કામવિકાર થતું નથી. પછી ઉત્તમ ભાગ્યવાલી પોતાની પુત્રી અદ્ધસંકાશાને ઝુપડીમાં બેઠેલી જોઈ કામદેવથી અત્યંત પીડા પામેલા દેવિલાસુત તાપસ, તે પુત્રીની સાથે પશુકડા કરવા માટે તુરત દોડયા. એવામાં તે રસ્તામાં પડેલા કાણોની સાથે અફલાવાથી પૃથ્વી ઉપર પડી ગયા. ખીલાવડે વિધાવાથી બહુ પીડા પામેલા તે દેવિલાસુત મુનિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે “આ ચિંતવેલા પાપનું ફલ મને આજ ભવમાં મહ્યું તે પછી પરલેકમાં કેટલું દુઃખ થશે? ધિક્કાર છે, ધિક્કાર છે કામ વિડંબનાને, અત્યંત કામથી ઉન્મત્ત થએલા વિવેકી પુરૂષ પણ હારી પેઠે વિવેકરહિત બની જાય છે. માટે ધિક્કાર છે, ધિક્કાર છે મને, બ્રહ્મચર્ય ધારણ કરનારા પુરૂએ સર્વથા સ્ત્રીસંગ ત્યાગ કરવા યોગ્ય છે. કારણ એમ ન હોય તે તે તપસ્વી પુરૂષને પણ હારી પેઠે વિ. બના થાય છે.” આ પ્રમાણે વિચાર કરતાં અંતરાયના કર્મને નાશ થવાથી કૃતાર્થ એવા દેવિલાસુત મુનિ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. પછી “હે ભવ્ય છે ! તમારે સર્વ પ્રકારના કામથી વિરક્ત થવું.” એવું અધ્યયન કહી, દેવિલાસુત મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. મુનિએ પિતાની અદ્ધસંકાશા પુત્રી સાધ્વીને સેંપી. પછી પિતા અને પુત્રી અને જણા ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલવા લાગ્યા. આ ફોધના ત્યાગથી ક્ષમા, ૨ માનના ત્યાગથી મૃદુતા, ૩ માયાના ત્યાગથી સરલતા અને ૪ લેભના ત્યાગથી મુક્તિ થાય છે. પ બાર પ્રકારનો ત૫, ૬ સત્તર પ્રકારને સંયમ અને ૭ દશ પ્રકારનું સત્ય છે. ૮ શાચ, તેજ પાંચ ઈદ્રિયોને દમ કહ્યો છે. ૯ સર્વ પ્રકારે દ્રવ્યનું નહિ રાખવું, તેને શ્રીજિનેશ્વરએ અકિચનપણું માન્યું છે. ૧૦ નવ પ્રકારના ભેદવડે વિશુદ્ધિ અને બ્રહ્મચર્ય રૂપ મહાવ્રત કહેવાય. આ પ્રમાણે સંયમના જીવિત રૂપ દશ પ્રકારના ધર્મને મન, વચન અને કાયાના ચેગથી પાળતા એવા તે પિતા પુત્રી અનુક્રમે શુકલ ધ્યાનથી કેવલ જ્ઞાન પામી અનેક ભવ્ય જીવને પ્રતિબંધ પમાડી મેક્ષપદ પામ્યા.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy