SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯), શ્રીવષિમઠલવૃત્તિ ઉજાસ * मिया अने शिष्योनी साथे 'श्रीकौशिकार्य' नामना उपाध्यायनी कथा * રેગાદિ અનિષ્ટ રહિત એવી ચંપાનગરીમાં કેશિકાર્ય નામે બ્રાહ્મણ ઉત્તમ ઉપાધ્યાય હતે. તેને મનસ્વી એવા અંગ અને રૂદ્ર નામના બે શિખ્યા હતા. ઉપાથાય તે બન્ને શિને આદરથી સર્વ ઉત્તમ શાસ્ત્રોને અભ્યાસ કરાવતા હતા. અંગશિષ્ય સરલ સ્વભાવને હતું તેથી ગુરૂએ તેનું અંગમુનિ નામ પાડયું હતું. કહ્યું છે કે જે પુરૂષ જેવા સ્વભાવને હોય તે પુરૂષનું તેવુંજ નામ પડે છે. એકદા ઉપાધ્યાયે બને શિષ્યને સવારે કાષ્ટ લેવા વનમાં મોકલ્યા. સાંજે અંગ વનમાંથી કાષ્ટ લઈ ઘેર જવા નીકળ્યો. તેને અરણ્યમાં રમતા એવા કે દીઠ. દુષ્ટ બુદ્ધિવાલે રૂદ્ર, ઉપાધ્યાયના ભયથી વનમાંથી કાટ લઈને આવતી એવી જ્યોતિર્યશા નામની કંઈ દાસીને મારી તેને કાષ્ટ લઈ અંગના પહેલે ઘરે આવ્યા. અને કપટથી ગુરૂને એમ કહેવા લાગ્યું કે તમારે સારો શિષ્ય જ્યોતિર્યશા નામની દાસીને મારી તેનાં સર્વ કાષ્ટ ઘરે લાવ્યો છે.” રૂદ્રનાં આવાં વચન સાંભળી અત્યંત ક્રોધ પામેલા ગુરૂએ અગના સરલ સ્વભાવને નહિ જાણતા છતાં તેને પિતાના ઘરમાંથી ઝટ કાઢી મૂકો. પછી કષાયરહિત અંગમુનિ વનમાં ગયે. ત્યાં તેને વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પાસે રહેલા દેવતાઓએ તુરત તે કેવલીને હેટે મહત્સવ કર્યો. પછી સુવર્ણના કમલ ઉપર બેઠેલા તે કેવલીને દેવ, અસુર અને મનુષ્ય સેવવા લાગ્યા. અંગને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાની વાત સાંભલી વિરમય પામેલા ઉપાધ્યાયે તુરત ત્યાં આવી હર્ષથી તેને નમસ્કાર કર્યો. આ વખતે દેવોએ ઉપાધ્યાયને કહ્યું કે “ હુરત્મા એવા રૂઢેજ. દાસીને મારી તેનાં કાષ્ટ લઈ લીધાં છે. એણે ક્રોધથી તમને ખોટું કહ્યું હતું.” ' પછી ઉપાધ્યાયાદિ લેંકેએ બહ નિંદા કરે તે રૂ, પિતાના કરેલા કર્મને નિંદતે છતે પ્રત્યેક બુદ્ધ થયું. ઉપાધ્યાયે પણ અંગ કેવલીના મુખથી ઉત્તમ ધર્મદેશના સાંભલી સ્ત્રી સહિત તપસ્યા લીધી. અસંખ્ય ભના ઉપાર્જન કરેલા સર્વ કને તપથી ક્ષય કરી પ્રિયા સહિત કોશિકાર્ય ઉપાધ્યાય તથા રૂદ્ર અને અંગ તે સત્વવંતે ચારે જણા મેક્ષપદ પામ્યા. ત્રણ. જગતમાં પૂમ એવા તે ચારે મુનિઓને હું નમસ્કાર કરું છું. मिया अने शिष्योनी सा श्री कौशिकार्य' नामना उपाध्यायनी कथा संपूर्ण. भविअव्वं खलु भो सव्व-कामविरएण: एअमायणं ॥ भासित्तु देवलामुअ-रायरिसी सिवयं पत्तो ॥ १२४ ॥ “હે ભો! તમારે નિચે સર્વ કામના અભિલાષથી નિવૃત્ત થવું.” એ અધ્યયન કહી દેવલાસુત રાજર્ષિ મોક્ષપદ પામ્યા. ૧૨૪ છે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy