________________
શ્રી પુંડરીક રીકની કથા.
(૯)
સ્થા, વિદેહ ભૂમિમાં રહેલા પુષ્કલાવતી નામના વિજયમાં સ્વર્ગપુરીથી પણ અધિક સુશોભિત પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં જગને વખાણવા યોગ્ય અને નિર્મલ પ્રતાપવાળ કુંડરિક નામે રાજા, પોતાના બંધુ પુંડરિક સહિત રાજ્ય કરતો હતે.
એકદા સુગુરૂને ઉપદેશ સાંભળવાથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવડે કુંડરીકે, નહિ ઈચ્છતા એવાય પણ પિતાના બંધુ પુંડરિકને રાજ્યભાર સેંપી પિતે દિક્ષા લીધી. પછી નિરંતર નિરતિચારપણે ચારિત્ર પાલતા એવા તે કુંડરિકને કોઈ એક દિવસ પૂર્વ કર્મના વેગથી બહુ રોગ થયો. બંધુરૂપ પુંડરિક ભૂપતિએ તેને નિર્દોષ આહાર અને ઉત્તમ વૈદ્યોએ કહેલા બહુ પ્રકારના આહારથી રેગરહિત કર્યો. પછી કુંડરિક સાધુએ ગુરૂ પાસે આલોચના લઈ શુદ્ધ ચારિત્ર પાળવા પૂર્વક પુંડરિકની રજા લઈ વિહાર કર્યો. નિરંતર આઠ પ્રવચન માતાનું પરિપાલન કરતા તેમજ સંસારની ઉત્પત્તિ કરનારા એવા કષાયરૂપ સ્તંભેને દૂર કરતા વળી પિતાના ઉત્તમ પ્રકારે દશ પ્રકારના સાધુ ધર્મને સહતા નાના પ્રકારના ઉપસર્ગોને તથા પરીષહાને સહન કરતા હતા.
આ પ્રકારે એ મહામુનિએ એક હજાર વર્ષ પર્યત નિર્મલ ચારિત્ર પાડ્યું. એવામાં તેમને કર્મના વેગથી ચારિત્ર પાળવામાં પ્રતિબંધ કરનારૂં કર્મનું આવરણ ઉદય પામ્યું. જેથી ભાગી ગયું છે જેમનું એવા તે કંડરિક મુનિ પર્વતના ભારની પેઠે સત્તર પ્રકારના સંયમભારને ઉપાડવા સમર્થ થયા નહીં. છેવટ કંડરિક મુનિ રાજ્ય લેવાની ઈચ્છાથી બંધુ પુંડરિકની નગરીના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમણે પોતાનાં પાત્રો એક વૃક્ષની ડાલે વળગાડી નિવાસ કર્યો. પછી વનપાલના મુખથી પિતાના બંધુ કંડરિક મુનિનું આવાગમન સાંભળી પુંડરીક રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં તે પોતાના બંધુને આકાર, ચેષ્ટા, ગતિ, ભાષણ, નેત્રના વિકારાદિ મુખ્ય ભાવડે ચારિત્રથી ખેદ પામેલા ચિત્તવાળા જાણું બહુ ખેદ કરતાં છતાં કહ્યું કે “હે બંધુ! તમે સિંહની પેઠે પિતાનું ચક્રવર્તિ સરખું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી છે તે હવે તેને પાલવામાં શિયાલના સરખા ન થાઓ. તમે આ લેકમાં બહુ કાળપર્યત અતિ નિર્મળ ચારિત્ર પાળ્યું છે તે હમણાં થોડા દિવસ માટે દુઃખરૂપ સંસારમાં શા કારણે પડો છો? બહુ કાલપર્યત ભેગવેલા અસંખ્ય ભેગોથી પણ આત્મા વૃદ્ધિ પામતું નથી માટે આ ચરિત્રને વિષે આનંદ અને સુખદાયક એવો સંતોષ રાખે.” આ પ્રમાણે બહુ કહ્યું છતાં એ મહામુનિ ચારિત્રને વિષે સ્થિરતા ન પામ્યા ત્યારે પુંડરિક ભૂપતિએ કહ્યું કે “જે તુ રાજ્યની ઈચ્છા કરતો હોય તે તે લે અને ત્યારે વેષ મને આપ.કંડરિકે તે વાત કબુલ કરી એટલે રાજાએ તેને તે જ વખતે રાજ્ય આપી પોતે તેને વેષ લઈને સંયમરૂપ સામ્રાજ્ય અંગીકાર કર્યું.