SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઝીઅનાથી નામના નિથ મુનિવરની કથા. (૧૬૭) ગુપ્તિથી પવિત્ર, વૃક્ષની નીચે બેઠેલા, સુકુમાલ, સુખી અને વિશ્વને આશ્ચર્યકારી રૂપ વાલા તે મુનિને જોઈ શ્રેણિક રાજા મનમાં બહુ આશ્ચર્ય પામે. વલી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આહા ! શું એમનું રૂપ, વર્ણ અને સભ્યતા. ખરેખર એ મહામુનિની ક્ષમા, મુક્તિ અને મહાભાગપણે પણ આશ્ચર્યકારી છે. ” પછી શ્રેણિક રાજા મુનિને પ્રદક્ષિણા કરી તથા તેમના ચરણમાં પ્રણામ કરી આગલ બેસી તેમને પૂછવા લાગ્યા. હે આર્ય ! આપ યુવાવસ્થાવાલા છે, તે આ ભોગ ભેગવવાના અવસરે આપે દીક્ષા લીધી. જેથી આપના ચારિત્ર લેવાના કારણને સાંભળવાની હું ઈચ્છા કરું છું.” મુનિએ કહ્યું. “હે મહારાજ ! હું અનાથ છું. હારે કોઈ પતિ નથી તેમ દયા કરનાર કે પરમ મિત્ર પણ નથી. મેં અનાથપણાથીજ ચારિત્ર લીધું છે. હે પૃથ્વીનાથ ! એજ હારૂં તપસ્યા લેવાનું ખરું કારણ છે. ” સાધુનાં આવાં વચન સાંભલી શ્રેણિકે હસીને કહ્યું. “તમે આવા સમૃદ્ધિવંત છે છતાં કેમ તમારે કોઈ નાથ ( અધિપતિ ) નથી. હે સાધ ! આવા વર્ણાદિકે કરીને આપને અનાથપણું યુક્ત નથી. છતા જે આપ અનાથ હે તે આપને નાથ (સ્વામી) થાઉં છું. માટે હવે પછી આપ મિત્ર, જ્ઞાતિ અને ઉત્તમ સ્વરૂપવાલી સ્ત્રી સહિત બની અને પિતાના હિતેચ્છુ થઈ હારા ઘરને વિષે શ્રેષ્ઠ ભેગોને ભેગ.” શ્રેણિક ભૂપતિએ આ પ્રમાણે કહે છતે મુનિએ કહ્યું. “ હે નરેશ્વર ! તું પણ આત્માવડે કરીને અનાથ છતાં હારે નાથ શી રીતે થઈશ ?” મુનિએ આવું કહ્યું તેથી પૂર્વે આવું ક્યારે પણ નહિં સાંભળનારા ભૂપતિએ બહુ વિસ્મય પામી ફરીથી મુનિને આ પ્રમાણે કહ્યું. હે મુનીશ્વર ! હારે હસ્તિ, અશ્વ, રથ અને પાયદલ વિગેરે બહુ સેના છે. તેમજ દેવાંગનાઓના રૂપ તથા ગર્વને હરણ કરનારી સ્ત્રીઓ છે. હું નિરંતર ઈચ્છા પ્રમાણે મનુષ્યભવ સંબંધી ભોગોને ભેગવું છું. હારા સર્વે સ્વજનો પણ હારી આજ્ઞા પાલનારા, અશ્વર્યવંત અને સ્નેહયુક્ત છે. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખ આપનારી હારી ઉત્કર્ષ સંપત્તિ છતાં તમે મને અનાથ કેમ કહો? લોકમાં સંત પુરૂષે મૃષાભાષી હેતા નથી માટે આપે પણ આજે કહ્યું તે સત્ય હશે. ” મુનિએ કહ્યું. “હે ભૂમિપતિ ! તમે નાથ શબ્દનો અર્થ નથી જાણતા માટે નાથ તથા અનાથપણાના અર્થ એ થાય છે, તે સાંભલ. કેશાંબી નામની મહાનગરીમાં ઘણા હસ્તિ, અશ્વ, રથ અને પાયલના સૈન્યવાળ હારે પિતા રાજા હતો. અને પ્રથમ વયમાં બહુ નેત્ર પીડા ઉત્પન્ન થઈ તેમજ સર્વ અંગને વિષે મહાદુઃખ આપનારો દાહ જ્વર ઉત્પન્ન થયે. જેમ શરીરના છીને વિષે તીણ શાસ્ત્ર પેસવાથી બહુ પીડા થાય તેવી જ રીતે મને નેત્ર પીડા થવા લાગી.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy