SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહરિકેશખલ' નામના મુનિવરની કથા ( ૧૫૫ ) આ પ્રમાણે વિચાર કરતાં તિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રતિષેધ પામેલા ખલે લેાચ કરી, શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી વ્રત લીધું. એકદા તે મુનિરાજ વિહાર કરતા કરતા વાણારસી નગરીએ ગયા. ત્યાં તેમણે તિક ઉદ્યાનની મધ્યે રહેલા ગડીયક્ષના મંદીરમાં માગવાનની રજા લઈ નિવાસ કર્યો. મુનિરાજના તપથી ગડીયક્ષ અહુ શાંત ચિત્તવાલા થયા, તેથી તે નિર ંતર કિતથી મુનિરાજની સેવા કરવા લાગ્યા? એક દિવસ ત્યાંના રાજા કેાશલિકની પુત્રી ભદ્રા, પુષ્યાદિ સામગ્રી લઇ તે ગડડીયક્ષની પૂજા કરવા આવી. પૂજા કરી રહ્યા પછી ભાવથી પ્રદક્ષિણા કરતી એવી ભદ્રાએ મલથી દુર્ગંધવાળા તે સાધુને જોઈ શુ વા વિગેરે દુગ ́ચ્છા કરવા લાગી. તેણીના આવા કૃત્યથી મુનિરાજની ભકિત કરવામાં તત્પર યક્ષે ગુસ્સે થઇ ભદ્રાને ગાંડી બનાવીને બહુ પીડા પમાડવા માંડી. આ વાતની ભૂપતિને ખખર પડી ત્યારે તેણે પોતાની પુત્રીને યક્ષમદીરે લઈ જઈ ખલિદાન વિગેરે કરી ભદ્રાને એક મડલમાં બેસાડી પછી યક્ષ તેણીના અંગમાં આવી લવા લાગ્યા. “ આ જગપૂજ્ય મુનિરાજને જોઈ તેણીએ થુંકવા વિગેરે દુગ - ચ્છા કરી છે, તેથી મે એણીને ગ્રહણ કરી છે, હું તેણીને કયારે પણ છેાડવાના નથી. કહ્યું છે કે પૂજ્ય પુરૂષની હેલના, જીવને કયારે પણ છેાડતી નથી. ” ભૂપતિએ પગે લાગીને કહ્યું, હે સ્વામિન્ દેવેદ્ર ! આ મ્હારી પુત્રીએ મુગ્ધપણાથી તે મુનિરાજના અપરાધ કર્યાં છે, માટે તે માલાને ત્યજી દ્યો, હવે તે ફરીથી અપરાધ કરશે નહીં, કહ્યું છે કે સંતપુરૂષા પરાધીન ખાલકને વિષે દયાવંત હાય છે. ” યક્ષે કહ્યું: “ હું નૃપ! જો એ તમારી પુત્રી, મુનિરાજને વરે તે હું તેને ત્યજી દઉં. રાજાએ, તે વાત અંગીકાર કરી એટલે યક્ષે ભદ્રાને ત્યજી દીધી. પછી ભૂપતિએ, પુત્રીના મુનિની સાથે વિવાહ કર્યો પણ મુનિ તે નિ:સંગ હાવાથી તેને ત્યજી દઈ ચાલ્યા ગયા. પછી ભૂપતિએ, પોતાની પુત્રીને ઋષિપત્ની બનાવી પોતાના રૂદ્રદેવ પુરોહિતને.આપી. યજ્ઞમાં દીક્ષા લેવાની ઇચ્છાવાલા તે પુરાહિતે પણ આ મ્હારી યજ્ઞપત્ની થશે ” એમ ધારી તેણીને સ્વીકાર કરી. ** ચાંડાલના કુલમાં ઉત્પન્ન થયા છતાં પણ સર્વ પ્રકારના ગુણને ધારણ કરનારા તે જિતેન્દ્રિય ખલ મુનિરાજ તે દિવસથી લેાકમાં “ રિકેશ ખલ ” એવા નામથી પ્રખ્યાત થયા. એકદા પાંચ સમિતિ અને ઉત્તમ ત્રણ ગુપ્તિથી પવિત્ર એવા તે હરિકેશમલ મુનિ, ભિક્ષાર્થે પેલા રૂદ્રદેવ પુરાહિત આર ંભેલા યજ્ઞ મંડપમાં ગયા. તીવ્રતપથી દુલ એવા તે મુનિને યજ્ઞ કરવાની સામગ્રી પાસે આવેલા જોઈ અધમ વિપ્રે હસવા લાગ્યા, એટલુંજ નહિ પણ જાતિમદથી હિંસા કરનારા, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞ એવા તે વિપ્રેા પરસ્પર કહેવા લાગ્યા. “ અરે ! કાલને પણ ભયં કર એવા અપવિત્ર દેહવાળા, મ્હાટી નાસીકાવાલા, મળબ્યાસ શરીરવાળા અને મહાભયંકર એવા આ કાણુ આવે છે ? ” પછી તેઓએ મુનિરાજને હ્યુ “ અરે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy