SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, એકદા તે ત્રણે વિપ્ર પરસ્પર વિચાર કરવા લાગ્યા કે “આપણા ઘરને વિષે સુપુણ્યગથી બહુ લક્ષમી છે માટે આપણે સૌએ નિરંતર ભેગા જમવું. કયારે પણ જુદા જમવું નહીં કારણ ભેગા જમવું એજ મુખ્ય પ્રેમનું ફલ છે. ” આ પ્રમાણે વિચાર કરી તે સર્વે ભાઈઓ કુટુંબ સહિત હંમેશા એકઠું ભજન કરવા લાગ્યા. એક દિવસ નાગશ્રીને રસોઈ કરવાનો વારો આવ્યો તે દિવસે તેણીએ અશન, માન, ખાદિમ અને સ્વાદિમ એવા ચાર પ્રકારની રસોઈ બનાવી, પરંતુ અજાણપણાથી કડવા તુંબડાનું બહુમશાલાદિ પદાર્થોનું સરસ શાક બનાવ્યું. પછી તેણીએ જેટલામાં તે શાક ચાખી જોયું તેટલામાં તે વિષમય લાગ્યું તેથી નાગશ્રી વિચાર કરવા લાગી કે “અરે અજાણથી આ શું થઈ ગયું ? નિશે આ શાક પતિ અથવા દિયર વિગેરેને પિરસી શકાય તેવું નથી. તેમ બહુ મસાલા વિગેરે પદાર્થોથી સુધારેલું હોવાથી નાખી દેવાય તેવું પણ નથી.” આમ વિચાર કરી નાગશ્રીએ તુરત તે કડવા તુંબડાના શાકને સંતાડી દઈ બીજા મધુર તુંબડાનું શાક કરી પિતાના પતિ દિયર વિગેરેને ભોજન કરાવ્યું. સોમદેવાદિ ત્રણે ભાઈઓ પણ સ્નાન, સેવા વિગેરે કરી તથા ઉત્તમ ભેજન કરી અનુક્રમે હંમેશની પેઠે પોતપોતાના કાર્ય માટે ચાલ્યા ગયા. નાગશ્રી પણ જેટલામાં જમી ઉઠયા પછી બહાર આવી તેટલામાં શ્રીધર્મશેષ સૂરિને સર્વગુણધારી ધર્મરૂચિ નામને શિષ્ય ગુરૂની આજ્ઞાથી માસખમણુને પારણે ભિક્ષા માટે ઘર ઘર પ્રત્યે ફરતે છતે ત્યાં આવી પહોંચ્યો. ધર્મરૂચિને આવતે જોઈ હર્ષ પામેલી દુષ્ટ ચિત્તવાળી નાગશ્રીએ તુરત તે મહાભાને પેલા કડવા તુંબડાનું સઘળું શાક વહેરાવી દીધું. પછી ધર્મચિ મુનિ ઇર્યા પથિકી પૂર્વક ગોચરી ફરી કડવું તુંબડુ લઈ ગુરૂ પાસે આવ્યા. ત્યાં તેમણે વિનયથી નિર્વિકલ્પપણે તે તુંબડુ ગુરૂને દેખાડયું. ગુરૂએ તે તુંબડાને ગંધથી વિષમય જાણી ધર્મચિને કહ્યું “આ તુંબડુ વિષમય છે માટે ત્યારે તે ભક્ષણ ન કરતાં પરઠવી દેવું.” ગુરૂનાં આવાં વચન સાંભળી ધર્મરૂચિ મુનિ તે તુંબડાને ભૂમિમાં પરડવવા માટે વનમાં ગયા ત્યાં તે ધર્મરૂચિ મુનિ કડવા તુંબડાનું એક ટીપું પૃથ્વી ઉપર પડી જવાથી અનેક કીડીઓનું મૃત્યુ થએલું જોઈ ઉત્પન્ન થએલી દયાવડે તે સઘળું કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા. પછી ત્યાંજ અનશન કરી, મૃત્યુ પામી તે ધર્મચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનમાં દેવતાપણે ઉપન્યા. - હવે અહીં કડવા તુંબડાનું દાન અને તેથી થએલું મુનિનું મૃત્યુ સાંભળી સોમદેવ બ્રાહ્મણે મુનિને ઘાત કરનારી પિતાની સ્ત્રીને રેગવાળી કુતરીની પેઠે કાઢી મૂકી. પછી તે પાપથી દુખી થએલી નાગશ્રી સળ રોગથી પીડા પામીને મૃત્યુ પામી છઠ્ઠી નરકને વિષે ઉત્પન્ન થઈ. ત્યાંથી તે મસ્યજાતિમાં ઉત્પન્ન થઈ ફરી સાતમી નરકે ગઈ. ત્યાંથી તંદુલ મત્સ્યને ભવ પામી ત્યાંથી ફરી સાતમી નરકે ગઈ કરી મત્સ્ય થઈ ફરી છઠ્ઠી નરકે ગઈ, આવી રીતે ગોશાળાની પેઠે બબે ભવ -
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy