SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિનપાલિત’ તથા શ્રી ધર્મચિનામના મુનિવરની કથા, (૧૪૭) કહ્યું: “ હે વત્સ ! આ ચંપાપુરી દેખાય છે માટે તું હારા ઘર પ્રત્યે જા અને હું કૃતાર્થપણે હારી આજ્ઞાથી હારા પિતાના સ્થાન પ્રત્યે જાઉં છું” એમ કહી સેલક્યક્ષ તુરત પિતાને સ્થાનકે ગયે. પછી જિનપાલિત ચંપાપુરીમાં પ્રવેશ કરી ભક્તિવડે માતા પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. “ હે વત્સ ! હારે બંધુ જિનરક્ષિત કયાં છે ? એમ માતા પિતાના પૂછવા ઉપરથી જિનપાલિતે પિતાને સઘળે વૃત્તાંત તેમની આગલ વારંવાર કહ્યો. પછી પિતાએ દીર્ધકાલ પર્યત જિનરક્ષિતને શોક કરી તથા તેનું પ્રેતકાર્ય કરી તેમજ જિનપાલિતને સઘળે ઘરભાર સંપી પિતે ધર્મસાધન કર્યું. જિનપાલિત પણ અખંડ ભેગોને ભગવતે યશ, ધન અને પુત્રાદિકવડે મહેટી વૃદ્ધિ પામે. એકદા શ્રી મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમવસર્યા. તેમની ધર્મ દેશના સાંભળી જિન પાલિતે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી તથા નિર્મલ એવા ચારિત્રને પાલી તે જિનપાલિત સૌધર્મ દેવકને વિષે બે સાગરોપમ સ્થિતિના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચવી વિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સર્વ કમને ખપાવનાર તે જિનપાલિત સિદ્ધિ પામશે. સંસાર રૂપ સમુદ્ર, મનુષ્યજન્મ રૂપ અતિ શ્રેષ્ઠ રત્નદ્ધિપ, અને ભેગેચ્છા રૂપ દુષ્ટ દેવી જાણવી. તે ભોગેચ્છાને વિષે જડમતિ માણસ પોતાનું મન ધારણ કરે છે, તે ભેગેચ્છાના વિપરિતપણાથી માણસો જિનરક્ષિતની પેઠે બહુ દુઃખ પામે છે અને જિનવરની આજ્ઞા પાળવાથી જિનપાલિતની પેઠે સ્વર્ગ અપવગના સુખ પામે છે. ' श्रीजिनपालित ' नामना मुनिवरनी कथा पूर्ण तीअद्वाए चंपाइ, सोमपत्तीइ जस्स कडुतुंबं । दाउं नागसिरीए, उवज्जिउणंतसंसारो ॥ ८ ॥ અતીતકાલે ચંપાનગરીમાં સેમ બ્રાહ્મણની સ્ત્રી નાગશ્રીએ ધર્મરૂચિ નામના સાધુને કડવું તુંબડુ વહેરાવી અનંત સંસાર ઉપાર્જન કર્યો. એ ૮ ! सो धम्मघोससीसो, तं भुच्चा मासखमणपारणए ॥ ધર્મ સંપત્તો, વિમાપવાં િસે છે ? તે ધર્મઘોષ આચાર્યને શિષ્ય ધર્મરૂચિ, માસખમણના પારણે તે કડવા તુંબડાને ભક્ષણ કરી સર્વાર્થસિદ્ધ નામના ઉત્તમ વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયે. પાલા ___ श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा અતીતકાલે ચંપાપુરીમાં સોમદેવ, સેમદત્ત અને સમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. તેઓને નાગશ્રી, ભૂતશ્રી અને યજ્ઞશ્રી નામે સ્ત્રીઓ હતી. મહા સમૃદ્ધિવંત એવા તે ત્રણે વિખે સુખી હતા. — — —
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy