SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦) શ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ “આ હારે પતિ સારા આચારવાળે છે અને એ ભૂપતિની સ્ત્રી વશ છે માટે નિચે આજે મ્હારૂં કુકર્મ ઉદય આવ્યું. મારા પતિ આવું કાર્ય કરે નહિ છતાં તેમને માથે આ મિથ્યા આરોપ આવી પડ્યા તો પૂર્વે સંપાદન કરેલા કર્મને કો પુરૂષ નિવારી શકે? આમ છે તો પણ તેને ઉપાય કરીશ.” આમ વિચારી મનેરમાં પોતાના ઘરમાં જઈ જિન પ્રતિમાનું પૂજન કરી અને કાયેત્સર્ગ કરી આ પ્રમાણે કહેવા લાગી પ્રવચનની ભક્ત, ઉત્તમ પુરૂષના વિઘને દૂર કરનારી અને સમાધિ કરવામાં તત્પર એવી છે શાસન દેવી ! મહારા પતિને લેશમાત્ર દેષ નથી માટે શ્રાવકોમાં મુકુટમણિ સમાન એ શ્રેષ્ટીનું જો તું સાંનિધ્ય કરીશ તે જ હું આ કાયોત્સર્ગ પરીશ.” મનેરમાં આ પ્રમાણે કહી કાર્યોત્સર્ગ રહી એટલામાં રક્ષક પુરૂએ સુદર્શન શ્રેષ્ઠીને સ્મશાનમાં લઈ જઈ શૈલી ઉપર ચડાવ્યું. આ વખતે શાસનદેવીને પ્રભાવથી ફૂલીને ઠેકાણે સુવર્ણ કમલ થયું એટલું જ નહિ પણ રક્ષક પુરૂએ કરેલા પ્રહાર તે શ્રેષ્ટીના શરીરે રેશમી વસ્ત્રો તથા હીરાદિ આભૂષણ થઈ ગયા. સુદર્શન શ્રેષ્ટીને આ પ્રકારના જે વિસ્મય પામેલા રાજ પુરૂષોએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિ દધિવાહન પણ તુરત હસ્તિ ઉપર બેસી સુદર્શન શ્રેણી પાસે આવ્યું અને તેને વેગથી ભેટી અત્યંત ખેદ કરતે છતે કહેવા લાગ્યું. “હે શ્રેણી ! તમે તમારા પિતાના પુણ્યદયથી મૃત્યુ પામ્યા નથી. એટલું જ નહિં પણ પાપી એવા મેં તમને મરણ કણમાં નાખ્યા છતાં જે તમે જીવતા રહ્યા છે તે નિચે તમારા શીલનું માહાન્ય છે. હા હા, પૃથ્વીમાં દધિવાહન વિના બીજે કઈ નૃપતિ પાપી, અવિચારી, સમદ અને સ્ત્રીવશ નથી, કે જે મૂઢે તમને મારી નાખવાને નિશ્ચય કર્યો. અથવા હે શ્રેણી ! આ સઘલું પાપ તમે જ મને કરાવ્યું છે કારણ મેં તમને બહુવાર પૂછયું છતાં તમે મને કાંઈ પણ ઉત્તર આપે નહીં.” આ પ્રમાણે પિતાના આત્માની નિંદા કરતે દધિવાહન ભૂપતિ સુદર્શન શ્રેણીને હાથિણી ઉપર બેસારી સત્પરૂથી પ્રશંસા કરાતે છતે પોતાના ઘર પ્રત્યે લઈ ગયા. ત્યાં સ્નાનાદિ કરાવી, વસ્ત્રાભરણથી સત્કાર કરી અને વિધિથી ભેજન કરાવી રાજાએ તેને સર્વ વાત પૂછી. શ્રેણીઓ અભયાને અભયદાન આપવાની વિનંતી કરીને પછી અભયરાણુની સર્વ વાત રાજાની આગલ કહી. દધિવાહન ભૂપતિએ પણ તુરત અભયારાણીને પિતાના ઘરમાંથી કાઢી મૂકી પછી રાણી પિતાના આત્માની નિંદા કરતી છતી થોડા કાલમાં મૃત્યુ પામીને વ્યંતરી થઈ. હર્ષોત્કર્ષને ધારણ કરતા ભૂપાલે સુદર્શન શ્રેષ્ઠીને પોતાના પટ્ટહસ્તિ ઉપર બેસારી મહેટા મહોચ્છવ પૂર્વક તેના ઘર પ્રત્યે પહોંચાડ્યું. હવે અભયારાણીની ધાવમાતા પંડિતા પિતાના દુષ્કૃત્યથી ભય પામીને નાસી ગઈ, તે કુસુમપુરમાં જઈ ત્યાંની દેવદત્તા ગણિકાના ઘરે રહી ત્યાં પણ તે પંડિતા,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy