SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રીસુદર્શન' નામના મહર્ષિની થા ,, ( ૧૩૯ ) મને સોંપ, પછી હું એના બ્રહ્મવ્રતનુ દ્રઢપણું જોઈશ. ” અભયારાણીના વચનથી સુદન શ્રેષ્ઠીને લાવવાના વિવિધ પ્રકારના ઉપાયાને શેાધતી તે ચતુર ધાવમાતા બહુ વાર વિચારવા લાગી. પછી ચામાસીની રાત્રે રાણીના પુજાના ખાનાથી વસ્ત્રથી ઢાંકીને યક્ષની પૂજાની સામગ્રી રથમાં લઇને ગઇ. પાછલ સુદર્શન શ્રેષ્ટી એક શૂન્ય ઘરમાં કાયાત્સર્ગ કરીને રહ્યા હતા. એવામાં ધાવમાતાએ આવી તેમને ઉપાડી લઇ અભયારાણીની આગલ મૂકયા. પછી અદ્ભુત વેષ ધારણ કરવાથી દેવાંગનાઓને પણ તિરસ્કાર કરનારી તે વાચાલ અભયા મધુરવચનથી સુદર્શન શ્રેણીને કહેવા લાગી. “ વિશ્વના મનુષ્યાની મધ્યે દયાવંત એવા હું પ્રાણનાથ ? તમે લેાકમાં કામદેવરૂપ ગૃહથી પીડા પામેલાના દુ:ખને જાણા છે! છતાં તમે મ્હારી શા માટે ઉપેક્ષા કરે છે ? હું સ્વામિન્ ! આપના શરીરના સંગરૂપ અમૃત મેઘજલના સિંચનથી કામવરવડે તપ્ત થઈ રહેલા મ્હેરા અંગને ઝટ શીતલ કરો. ” આ પ્રમાણે કામથી આકુલ વ્યાકુલ થએલી અભયારાણીએ મહુ ઉપસેગેતાના સમૂહથી તેમને પીડિત કર્યા, તે પણ તે મહાત્મા પેાતાના શીલવ્રતથી જરા પણ ચલાયમાન થયા નહીં. પછી વિલક્ષ અનેલી અભયારાણીએ ક્રોધથી પેાતાના શરીરને તીક્ષ્ણ નખવડે વલૂરી પાકાર કર્યા કે “ આ કાઇ ધૃ પુરૂષ મને લગે છે માટે એને ધિક્કાર થાએ. ” રાણીના આવા શબ્દ સાંભલી પેહેરેદાર પુરૂષ તુરત ત્યાં આવ્યા તે તેમણે સુદર્શન શેઠને દીઠા. પછી વિસ્મય પામેલા રાજ પુરૂષોએ ભૂપતિ પાસે જઈ તે વાત નિવેદન કરી. રાજાના પૂછવા ઉપરથી અભયા રાણીએ કહ્યું- આ દુરાત્મા પુરૂષ ક્યાંઇથી અકસ્માત્ આવી પર પુરૂષનું મુખ નિહ' જોનારી એવી મને પેાતાની સાથે ક્રીડા કરવાનું કહે છે. હે નાથ! મે તેને કહ્યું કે અરે દુષ્ટ ! તું અસતી સ્ત્રીએના જેવી મને જાણે છે ? કચે પુરૂષ પોતાના કંઠને વિષે હારની પેઠે સર્પ આરોપણ કરે ? મેં આમ કહ્યા છતાં પણ તેણે મ્હારા ઉપર અલાત્કાર કર્યો તેથી મે પાકાર કર્યો. “ નરેંદ્ર ! જો આપના મનમાં “ એ આ કામ કરે નહીં ” એમ હોય તેા તેને પૂછે. ” દધિવાહન સૂપતિએ સુદર્શન શ્રેષ્ઠીને ખરી વાત જણાવવાનું કહ્યું, પરંતુ દયાથી ભિજાઇ ગએલા મનવાલા તેમણે રાજાની પાસે કાંઇપણ કહ્યું નહી. તેથી રાજાએ વિચાર્યું જે “ પૂછતાં છતાં પણ કાંઈ ઉત્તર આપતા નથી માટે એ શુદ્ધ હાય તેમ દેખાતું નથી ” એમ ધારી ભૂપતિએ ક્રોધથી પેાતાના સેવકાને સુદર્શન શ્રેષ્ઠીના વધ કરવાના આદેસ આપ્યું. પછી રક્ષક પુરૂષો વધ મંડપ તૈયાર કરી સુદર્શન શ્રેષ્ઠીને ગધેડા ઉપર બેસારી નગરમાં ફેરવવા લાગ્યા અને “ નીતીમાન અંત:પુરમાં મહા અપરાધ કરનારા રૂષભદાસ શ્રેષ્ઠીના પુત્રના રાજા ઘાત કરે છે. ” એવી ઉદ્દાષણા કરવા લાગ્યા. નગરીના લાકે “ આ કાર્ય આ શ્રેષ્ઠીને વિષે ઘટે છે ? ” એમ પાકાર કરતા હતા એવામાં રક્ષક પુરૂષાએ ફેરવવા માંડેલા તે શ્રેષ્ઠી પોતાના ઘર પાસે આવી પહેાંચ્યા. મનારમા પાતાના પતિની આવી સ્થિતિ જોઇ વિચાર કરવા લાગી *
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy