SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૪). શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ (અર્થાત્ બાવીશ પ્રભુના શાસનમાં સરલ અને બુદ્ધિમાન સાધુઓને વિવિધવણું વસ્ત્ર પહેરવાની છુટ પણ પહેલા અને છેલ્લા પ્રભુના શાસનમાં તેવી છુટ નથી કારણું પહેલા પ્રભુના સાધુઓ સરલ અને જડ હતા ત્યારે છેલ્લા પ્રભુના સાધુઓ વક્ર અને જડ હોય છે.)ૌતમનાં આવાં વચન સાંભળી કેશિ મુનિએ કહ્યું “ સંશયને હરણ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે બીજો એક હારો સંશય હરણ કરે. હે ગતમ! તમને જોઈ તમારા સન્મુખ દેડી આવતી શત્રુની સેનાને તમે એકલાએ શી રીતે જીતી?” મૈતમે કહ્યું, “પાચ, ચાર અને એક એ રૂપ દુર્જય એવી શત્રુની સેનાને મેં તુરત સ્વાધીન કરી છે,” “એ ક્યા?” એમ કેશિ મુનિએ પૂછયું ત્યારે ગતમે કહ્યું કે “હે મહાભાગ! કોધાદિ ચાર કષાય, પાંચ ઈદ્વિઓ અને એક મન એ રૂપ દશ શત્રુઓ જાણવા. જો કે ચિત્તના શત્રુ રૂપ તે એક પણ મહા દુર્ભય છે તે પણ મેં શુભ ધ્યાનથી એ સઘળા શત્રુઓને સારી રીતે જીતેલા છે એમ જાણુ” ગૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણધરે કહ્યું કે “સંશયને હરણ કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે માટે બીજા એક હારા સંશયને દૂર કરે, હે ગતમ! નિચે આ લેકમાં બહુ જ પાશથી બંધાએલા દેખાય છે અને તમે ન્હાના છતાં પણ તે પાશથી પોતાની મેળે છુટી શી રીતે વિહાર કરે છે? “ગૌતમે કહ્યું મેં પિતાના પરાક્રમથીજ વૈરાગ્ય રૂપ ખડગવડે રાગદ્વેષાદિ ભયંકર તીવ્ર મેહરૂપ પાશને છેદી નાખી પિતાને છુટો કર્યો છે તેથી હું ઈચ્છા પ્રમાણે વિહાર કરું છું” ગોતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણધરે કહ્યું “સંશયને દૂર કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મહારા બીજા એક સંશયને નાશ કરે. હે ગતમ! હૃદયમાં ઉત્પન્ન થએલી એક લતા છે કે જે મહા વિષમય ફલે ફલતી છતી રહેલી છે તે તેને તમે શી રીતે ઝટ ઉછેદ પમાડી?” મૈતમે કહ્યું. “વિષ ફળ ભક્ષણથી રહિત એ હું, તે લતાને સર્વ પ્રકારે છેદી નાખી અથવા તે મૂળમાંથી ઉખેડી નાખી ઈચ્છા પ્રમાણે વિહાર કરું છું.” “આપે કહેલી તે કઈ વેલ” એમ કેશિ મુનિએ પૂછયું એટલે શ્રુતજ્ઞાની એવા ઇંદ્રભૂતિ (ૌતમ) ભગવાને આ પ્રમાણે કહ્યું. “નરકાદિ ભયંકર ફળ ઉત્પન્ન કરનારી ભવતૃષ્ણ રૂપ વિષ વેલ કહી છે. તે વેલને સંવેગરૂપ કોદાળા વતી ઉખેડી નાખીને હું વિહાર કરૂં છું.”ૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે હારા, બીજા એક સંશયને દૂર કરો. હે ગતમ! દેહની અંદર રહેલે દારૂણ અગ્નિ તમે એ અત્યંત બુઝાવી નાખે છે છતાં તે કેમ બહુ દગ્ધ કરે છે?” ગૌતમ ગુરૂએ કહ્યું. અગ્નિને મેઘના જલવડે બુઝાવી દીધો છે તેથી તે જરાપણ મને બાળી શક્તો નથી.” એ કેશિગણધરે પૂછયું. “હે ગતમ! તે અગ્નિ કર્યો અને મેઘ પણ કર્યો? તે મને કહો !”ૌતમે કહ્યું, “કપરૂપ અગ્નિ, જિનવચન રૂપ મેઘ અને તેમાં શીલ, શાસ્ત્ર તથા તપરૂપ જલ છે. કૃત (શાસ્ત્ર) રૂપ જલથી બુઝાવી દીધેલું કષાય રૂપ તે અગ્નિ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy