SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ** * *** શ્રી સુદર્શન નામના મહર્ષિના કથા (૧૩૭) નવકાર રૂપ મહા મંત્રને નિરંતર ભણુ, કે જેથી તેને સિદ્ધિ થાય.” શ્રેષ્ઠીની પાસે સર્વ નવકાર ભણીને સુભગ ભાવથી આવતાં જતાં તેને જ ગણવા લાગ્યો. એકદા વર્ષાકાલે નદીના સામે કાંઠે કઈને ખેતરમાં ગએલી ભેંસને પાછી વાળવા માટે આ કાંઠે ઉભેલા શુભ હૃદયવાલા સુભગે નવકાર મંત્રને ઉંચે સ્વરે શબ્દ કરી નદીમાં ઝંપાપાત દીધું. તે વખતે તે કાદવથી મેલા એવા જલમાં રહેલા ખીલાથી હૃદયમાં વિંધાયે જેથી તે તુરત મૃત્યુ પામ્યા. પછી સુભગને જીવ પિતાના પુષ્ટ પુણ્યદયથી રૂપ સભાગ્ય મનહર એવો તેજ રુષભદાસની સ્ત્રી અહદાસીના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. પુત્ર ગર્ભમાં છતાં માતાને સુદર્શન (સારૂ સ્વપ્ન) થયું હતું તેથી પિતાએ તે પુત્રનું સુદર્શન નામ પાડયું. પછી પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાવે તે પુત્ર જેમ જેમ વૃદ્ધિ પામ્યો તેમ તેમ પિતાના ઘરને વિષે સંપત્તિ પણ વૃદ્ધિ પામવા લાગી, પિતાએ તેને યોગ્ય ઉપાધ્યાય પાસે મેલી સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યા અનુક્રમે અભ્યાસ કરતે તે સુદર્શન પુત્ર વનાવસ્થા પામ્યો. સર્વ ગુણોએ સુદર્શનને વિષે તેવી રીતે નિવાસ કર્યો કે દેને તેને વિષે પિતાનું સ્થાન ન મળવાથી તેને ત્યજી દીધો પછી પિતાએ તેને કોઈ સારા કુલમાં ઉત્પન્ન થએલી, ધન્ય, સારા શીલવાલી અને સારા આચારવાલી મનેરમાં નામની કન્યા પરણાવી. હવે સુદર્શનને કપિલ નામના પુરોહિતની સાથે એવી મૈત્રી થઈ કે ગુણ એવા તે બન્ને જણના ફક્ત દેહ જુદા હતા. બન્ને જણાના પિતાઓએ સંસારથી વૈરાગ્ય પામી પોતપોતાના પુત્રને વિષે પિતપોતાના કુટુંબને ભાર આરોપણ કરી હર્ષથી દીક્ષા લીધી. જેમણે પોતાના અંતરના શત્રુઓનો નાશ કર્યો છે એવા તે નિમલ મનવાલા બન્ને જણ ઉત્તમ પ્રકારે ચારિત્રને આરાધી મોક્ષસ્થાન પામ્યા. સદ્ગુણ એવા સુદર્શનને પોતાની મનોરમા પ્રિયાની સાથે નિરંતર વિષય સુખ ભેગવતા છ પુત્રો થયા. શ્રમણોપાસક સુદર્શન પરસ્પર અબાધપણે અવસરે અવસરે પુરૂષાર્થને સાધતે તથા શુદ્ધભાવથી ધર્મકાર્ય કરતું. સુદર્શનના આવા ગુણોથી બહ હર્ષિત ચિત્તવાલે કપિલ પુરોહિત, પિતાની પ્રિયા પાસે સુદર્શનના રૂપાદિ ગુણોને વખાણ છતે તે પોતાના મિત્રની હંમેશા પ્રશંસા કરતા હતે. કપિલ પુરેહિતની સ્ત્રી કપિલા જગમાં શ્રેષ્ઠ એવા સુદર્શનના ગુણેને સાંભળી નીચકુલપણુથી તેના ઉપર બહુ અનુરાગવાલી થઈ. એકદા પિતાને પતિ કાંઈ કાર્ય પ્રસંગે કોઈ બીજા ગામ ગમે ત્યારે કપિલાએ કપટ કરીને સરલ મનવાલા સુદર્શનને પિતાના ઘરે બોલાવ્યું. સુદર્શન શ્રેણી નિષ્કપટપણે જેટલામાં પ્રીતિથી તેણીના મંદીર પ્રત્યે આવ્યા તેટલામાં તે કપિલાએ પિતાના ઘરના બારણું બંધ કર્યા. પછી ઉભટ વેષ ધારણ કરી કપિલાએ સુદર્શી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy