SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૨ ). શ્રી કષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. ઉત્તમ પુત્રને જન્મ આપે. આ વખતે દૈવયોગથી મંત્રીની સ્ત્રી પિટ્ટિલાએ એક પુત્રીને જન્મ આપે. આ વાતની પ્રધાનને ખબર પડી તેથી તેણે તરત તે પોતાની પુત્રી રાષ્ટ્રને અર્પણ કરીને તેને પુત્ર પિતાની પ્રિયાને સેં. પછી હર્ષિત ચિત્તવાલા મંત્રીએ જન્મમહોચ્છવ કરી તે રાજપુત્રનું કનકધ્વજ નામ પાડયું. પાંચ ધાવ માતાએથી લાલન પાલન કરાતા તે કનકધ્વજને મંત્રીએ સર્વ કલાશાસ્ત્રને અભ્યાસ કરાવ્યું. રૂપે કરીને જાણે શાક્ષાત કામદેવ હાયની ? એવો તે કનકધ્વજ કુમાર વનાવસ્થા પામ્યું. પછી કનકરથ રાજા મૃત્યુ પામ્યું એટલે મંત્રીએ કનકધ્વજને રાજ્યાસને સ્થાપે. કનકધ્વજ કુમાર તે દિવસથી આરંભીને ક્યારે પણ ભક્તિથી તેતલિયુત પ્રધાનની આજ્ઞા ઉલ્લંઘન કરતે નહીં. એકદા તે તેતલિયુત પ્રધાનને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય એવી પિટ્ટિલા પ્રિયા પૂર્વના કર્મથી અપ્રિય થઈ પડી. જેથી તે તેણીની પાસે રસોઈ કરાવવા લાગ્યું. કહ્યું છે કે દેવ પ્રતિકૂલ હોય તે કેનો પરાભવ નથી થતો? પછી પિતાના કર્મથી પરાભવ પામેલી પિદિલા પિતાના પતિને વશ કરવા માટે અનેક માણસને પૂછવા લાગી. એક દિવસ તેણીના ઘરને વિષે સાધ્વીઓ ગોચરી માટે આવી. એટલે પિફ્રિલાએ તે મહાસતીઓને પિતાના પતિને વશ કરવાને ઉપાય પૂછયે. આ વખતે સાવીઓએ કૃપાથી તેણીને ધર્મદેશનાવડે અરિહંતના ધર્મમાં એવી સ્થિર કરી કે જેથી તે તુરત વૈરાગ પામી. પછી પિટ્ટિલાએ દિક્ષા લેવા માટે પોતાના પતિની રજા માગી એટલે મંત્રીએ કહ્યું. “હે પ્રિયે! જે તે સ્વર્ગમાં દેવપણું પામે છતે મને પ્રતિબંધ કરે તે હું તને ચારિત્ર લેવાની રજા આપું.” પોલ્ફિલાએ તે સર્વ વાત અંગીકાર કરી તથા તેને આરાધી દેવલોકમાં મહા સસદ્ધિવંત દેવતાપણે ઉત્પન્ન થઈ. પછી તે દેવે સાધુ શ્રાવક વિગેરે અનેક રૂપ ધારણ કરી બહુ પ્રકારે તેતલિસુત પ્રધાનને પ્રતિબોધ પમાડવા માંડે. પણ તે પ્રતિબોધ પામ્યો નહીં. પછી તે દેવતાએ એક દિવસ તેતલિસુત પ્રધાન ઉપર કનકધ્વજ ભૂપતિને અત્યંત કધાર કર્યો, જેથી પ્રધાન ભયથી સભાની બહાર ચાલ્યા ગયે અને બીજા લોક પણ તેવી જ રીતે વિદાય થયા. અહો ! દેવતાની કેવી અધિક દિવ્ય શક્તિ હોય છે. પછી અત્યંત ભયબ્રાંત થએલે પ્રધાન મૃત્યુ પામવાની ઈચ્છાથી ગલામાં પાશ નાખવા, અંધારા કુવામાં પડવા અથવા અગ્નિમાં ઝંપાપાત કરવા લાગ્યો, પરંતુ દેવતાએ તે સર્વ વૃથા કર્યું. છેવટ વનમાં નાસી જતા એવા પ્રધાનને આગલ ચારે તરફ ખાઈ અને પાછલ ભિલ્લ લેકેના બાણને વરસાદ માલમ પડે. પછી હવે શું કરવું. તેને કોઈ રસ્તો ન મલવાથી મૂઢ થએલા તેતલિસુતને પિતાની પિહિલા યાદ આવી. આ વખતે પેલા દેવતાએ “ દુઃખના ઓષધરૂપ દીક્ષા અંગીકાર કર.” એમ કહ્યું. દીક્ષાનું નામ માત્ર સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામેલા તેતલિસુત પ્રધાને પ્રતિબંધ પામીને દેવતાને કહ્યું કે “તું મ્હારા ઉપર ભૂપતિને પ્રસન્ન કર, કારણ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy