SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રીધર્મચિ નામના મુનિવરની થા " ( ૧૧૯) સાધુઓએ કહ્યુ “ અમારે જાવજીવ પર્યંત અનાકુટી છે, ” સાધુઓનાં આવાં વચન સાંભલી વિચાર કરતા એવા તે ધર્મરૂચિ પ્રત્યેકમુદ્ધ મુનિ થયા. ૫ ૯૪૫ * 'श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा આ ભરતક્ષેત્રમાં ક્લ્યાણના વિસ્તારવાનું વસંતપુર નામે નગર છે. જે નગરમાં પ્રસન્નતાના મીષથી જાણે મૂર્તિમાન હોયની ? એવા શ્રી અરિહ ંત પ્રભુના ધર્મ નિવાસ કરે છે. તે નગરમાં પોતાના પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરનારા અને રિણામથી પવિત્ર લક્ષ્મીવાળા જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તે ભૂપતિને રૂપ, સૈાભાગ્ય અને ભાગ્યાદિ ગુણાને ધારણ કરનારી તથા ધર્મ કર્મ માં કુશલ એવી ધારિણી નામે સ્ત્રી હતી. નિરંતર વિષયસુખ ભાગવતા એવા તેને ધમાં પવિત્ર સ્થિતિવાલા ધર્મરૂચિ નામે પુત્ર થયા. એકદા જિતશત્રુ ભૂપતિ, ક્રિડા કરવા માટે પેાતાના અંત:પુરના ઉદ્યાનમાં ગયા ત્યાં તેણે કાઇ શ્રમણ તાપસને જોઇ ભક્તિથી પ્રણામ કર્યાં. તે તાપસે પણુ રાજાની આગળ પાપના તાપથી પીડા પામેલા જનસમૂહને અમૃતની નદી સમાન ધર્મ દેશના આપી તે આ પ્રમાણે: ,, '' હે પ્રાણીઓ ! આયુષ્ય વાયુએ ક ંપાવેલા વાદલાના સમાન ચપલ છે. સ સંપત્તિએ સમુદ્રના કલાલ સમાન અસ્થિર છે. તારૂણ્ય પણ તેવુજ અનિશ્ચલ છે. સર્વે વિષયે કિ પાક લ જેવા છે, માટે તમે સંસારસમુદ્રને તારનારા તથા શિવ સુખ આપનારા શ્રી ધર્મને અંગીકાર કરો. ” તાપસના આવા ધર્મોપદેશનાં વચન સાંભલી અત્યંત વૈરાગ્યવાસિત થએલા જિતશત્રુ ભૂપતિએ પોતાના પુત્ર ધર્મ રૂચિને કહ્યું. “ હું ઉત્તમ બુદ્ધિવાળા પુત્ર ! હમણાં તું આ વિસ્તારવત રાજ્યને અંગીકાર કર અને હું પોતે સ્ત્રીસહિત તાપસવ્રત અંગીકાર કરીશ. ” ધરૂચિ વિચાર કરવા લાગ્યા. “ પિતા આ રાજ્ય મને આપી પાતે શા માટે વાનપ્રસ્થ ધર્મ અંગીકાર કરે છે ? ” પછી તેણે માતાને પૂછ્યું. “ હે માતા ! મ્હારા પિતા મને રાજ્ય સોંપી પાતે તપાવન પ્રત્યે શા માટે જાય છે ? ” માતાએ કહ્યું. “ હે વત્સ ! અનેક પ્રકારે દીર્ઘકાલ પર્યંત ભાગવેલું રાજ્ય ભવાંતરે નરકાદિકની વેદના આપે છે અને તે રાજ્યને ત્યજી દઇ પાલેલુ વ્રત મેક્ષ સુખને અર્થે થાય છે. એજ કારણથી હારા પિતા રાજ્ય ત્યજી દઇ તાપસી દીક્ષા લે છે. ” માતાનાં આવાં વચન સાંભલી અત્યંત ભય પામેલા ધરૂચિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ ધિક્કાર છે ધિક્કાર છે આ રાજ્યને કારણ કે જે ભાગવતાં છતાં નરકાદિ દુઃખ આપનારૂં થાય છે. માટે હમણાં પિતાએ આપવા માંડેલુ તે નરકાદિ દુ:ખ આપનારૂં રાજ્ય મ્હારે કાઇ પણ રીતે ગ્રહણ કરવુ નહી. આમ વિચાર કરીને ઉત્તમ બુદ્ધિવાલા તે ધર્મરૂચિએ પિતાને કહ્યું. “ હું તાત ! મેં તમારૂં મ્હારે વિષે મૂર્ખજનને ચેાગ્ય "" ("
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy