________________
શ્રી ઈલાચી પુત્રની કથા.
(૧૦૭ પિતાનાં વચન સાંભલી પૂર્વ જન્મના અનુરાગથી બંધાયેલા ઈલાપુત્રે કહ્યું. હતા! મહારે પ્રતિબંધ એ છે કે હું નિશ્ચ સંખપુત્રી વિના જીવવાનેજ નથી. માટે હું તેના ઘરે જઈ તેના ઘરજમાઈ તરીકે ત્યાંજ રહીશ. નહિ તે નિશ્ચ હારું મૃત્યુજ છે.
પુત્રનાં આવાં વચન સાંભલી શ્રેણી વિચારવા લાગ્યો. “ નિચે ભાવિ અન્યથા થતું નથી. ” પછી રાગથી વ્યાકુલિત મનવાલા માતા પિતાને તજી દઈ ઈલાપત્ર, પિતાના દુષ્ટ કર્મના વેગથી મંખને ઘરજમાઈ થઈને રહ્યો.
એકદા તે મને પિતાના કુટુંબસહિત બેનાતટ નગરે જઈ રાજાની આગલ લેકને આશ્ચર્યકારી નાટક આરંવ્યું. નાટકની અંદર નૃત્ય કરતી એવી ઈલાપુત્રની સ્ત્રી કે જે મંખની પુત્રી થતી હતી તેને જોઈ તુરત ભૂપતિ કામથી બહુ વ્યાકુલ થવા લાગ્યું. પછી તેણે વિચાર્યું જે “આ (ઈલા પુત્ર) કેઈ ઉપાયથી મૃત્યુ પામે તે આ નટી હારા મંદીર પ્રત્યે આવે. અન્યથા નહીં.” આમ વિચારીને તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાલા ભૂપતિએ ઈલાપુત્રને કહ્યું. “જે તે સર્વ નાટક કીયામાં કુશલ હોય તે વંશના ઉપર પાટલે મૂકી તેના ઉપર સ્થિર ઉભું રહી ઉંચા હાથ રાખી ત્રણવાર નાટક કરે તે હું તને પ્રમાણુરહિત સુવર્ણ, રત્ન, હસ્તિ અને અશ્વાદિકનું દાન આપું.” ભૂપતિનાં આવાં વચન સાંભલી તે ઇલાપુત્ર નટે જે જેવા માત્રથી જ લેકે આકુલ વ્યાકુલ થઈ જાય એવું તે સર્વ નૃત્ય કરી રાજાને કહ્યું કે “હેતૃપ ! આપે કહેલું દાન મને આપો.” શુદ્ધાત્મા ભૂપાલે કહ્યું “હે ભદ્ર! વ્યગ્રપણાથી હું હારું નાટક જોઈ શક નથી, માટે ફરીથી કર, જેથી હું તને દાન આપું.” ઇલાપુત્રે ફરીથી તેવું નાટક કરી તુષ્ટિદાન માગ્યું. એટલે ભૂપતિએ ફરીથી પણ તે જ ઉત્તર આપે. તેથી ઈલાપુત્ર વિચારવા લાગ્યો કે, “ભૂપતિ કામથી આકુલ વ્યાકુલ થવાને લીધે મહારી પ્રિયાને ગ્રહણ કરવાની ઈચ્છાથી જ મને વારંવાર આવે ક્ષુદ્ર આદેશ કરે છે. હાય હાય હવે હું કયાં જાઉં અને શું કરું? હત દેવ એ આ ભૂપતિ નિચે મને મારીને તુરત મારી પ્રિયાને અંગીકાર કરશે. ” આવા વિચારથી આતુર ચિત્તવાલે અને વંશ ઉપર બેસી પુરશોભા જોતા એવા તે ઇલાપુત્રે પિતાના દુષ્ટ કર્મને અંતરાય ક્ષય થવાથી કઈ એક શ્રેણીના ઘરને વિષે અલંકારવડે દિવ્ય રૂપ ધારણ કરતી એવી કઈ સ્ત્રી સાધુને ભિક્ષા વહેરાવતી પણ તે મહા સાધુ તેણીના સામે પિતાની દ્રષ્ટિ જરાપણ કરતા નહિ હતા તે જોયું. તે ઉપરથી વિવેક બુદ્ધિવાળો ઇલાપુત્ર મનમાં વિચારવા લાગ્યું કે મહેટા પુરૂષોમાં આજ અંતર છે. જુઓ આ એલા એવા મુનિ પિતાને ભિક્ષા વહોરાવતી એવી આ ઉત્તમ રૂપવતી સ્ત્રીને નિરાગપણથી જોતા પણ નથી. હું જ એક પાપી ઠર્યો કે જે મેં અધમ એવી નટપુત્રી જોઈ અને તેને વિષે આસક્ત થઈ માતા પિતાને તજી દઈ આ દુષ્ટ એવું નટકર્મ આરંભર્યું. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હાર આ નટેની સાથે ઠેકાણે ઠેકાણે નૃત્ય કરવું પડે છે. જે એથી હમણુજ હાર મૃત્યને