SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શું સાધન બાકી રહ્યું ! યમ આવે એમ કહ્યું છે. બીજી સૃષ્ટિમાં નિયમ પંચ—શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ઘ્યાન—આવે છે એમ કહ્યું છે. ૨૫ સંયમ—પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનના નિગ્રહરૂપ એમ છ પ્રકારે અને છકાય જીવની રક્ષા મળી બાર પ્રકારે પાળે. ત્યાગ ને વૈરાગ્યમાં શો ફેર ? ત્યાગ એટલે કોઈ બાહ્ય વસ્તુ અથવા અંતરના વિભાવ ભાવને છોડવા તે. અને વૈરાગ્ય એટલે વિ+રાગ=રાગ નહીં તે, એટલે આસક્તિરહિત થવું. વસ્તુ છોડે પણ આસક્તિ રહે એમ બને. જો આસક્તિ એટલે રાગને દૂર કરે તો જ તે વસ્તુનો ત્યાગ ટકે. તેથી આસક્તિ છે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. ત્યાગ અને વૈરાગ્ય ઉત્કૃષ્ટ રીતે બધાં વખાણે તેવો કર્યો. બધું છોડીને જંગલમાં એકલો તદ્દન મૌનપણે રહ્યો. છતાં જ્ઞાન ન હતું ત્યાં સુધી સંકલ્પવિકલ્પરૂપ અંતર્વાચા તો હોય જ. વૈરાગ્ય પણ ઉપરનો જ હોય, કારણકે જ્ઞાનગર્ભિત નથી. વળી કહે છે કે પદ્માસન એવું દૃઢ લગાવ્યું કે ચળે નહીં. મનપૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યાઁ હિ તપે, ઉરસેંહિ ઉદાૌં લહી સર્પે. ૨ ૧. ત્યાગ—આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ‘ત્યાગ’ કહે છે.’’ —શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૬૯ વૈરાગ્ય—‘ગૃકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે —શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૦૬ ‘વૈરાગ્ય’ છે.’’
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy