SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ ૐ સત્ શું સાધન બાકી રહ્યું ! કૈવલ્યબીજ શું ? (તોટક છંદ) યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો. ૧ યમ—આખા જીવન માટે જે વ્રત લેવામાં આવે તે. જેમકે પાંચ અણુવ્રત કે મહાવ્રત. તેમાં ક્વચિત્ આગાર રાખવો પડે કેમકે પૂર્ણપણે સર્વ વખતે ન પળે, પણ પ્રયત્ન તેની પૂર્ણતાએ પહોંચવા માટે હોય. નિયમ–જે થોડા વખત માટે ખાસ નિયમ કરીએ તે. જેમકે એક મહિનો મારે અમુક ત્યાગ અથવા આજે મૌન છે કે ઉપવાસ છે. વ્રત કરતાં નિયમ વધુ પૂર્ણ રીતે પાળવાના હોય છે, તેમાં અપવાદ ન થવા દે. જેમકે દિવ્રત તે યમ છે અને દેશાવકાશિક વ્રત તે નિયમરૂપે હોય છે. આઠ દ્રષ્ટિમાં પ્રથમ પાંચ મહાવ્રતરૂપી ૧. ‘‘બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યાં તે અત્યાર સુઘી વૃથા થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ-વિશેષનો હેતુ છે. '' (શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૩૪)
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy