SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આવ્યા અને કાઠિયાવાડ ટાઈમ્સ'ના તંત્રી બન્યા. અનંતપ્રસાદે અહીં એમની સંગીતશક્તિ પારખીને મંજીરાની દીક્ષા આપી. મંજીરા કવિનો પર્યાય બની ગયા. લલિતનાં કાવ્યો' (૧૯૧૨), વડોદરાને વડલે' (૧૯૧૪), લલિતનાં બીજાં કાવ્યો' (૧૯૩૪) એ એમના કાવ્યસંગ્રહ છે. ઈ. ૧૯૫૧માં “લલિતને લલકાર” નામે એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. (એમાં કેટલાંક કાવ્ય સંગ્રહાવાં રહી ગયા લાગે છે.) ઈ. ૧૯૦૩-૪માં “ઉત્તરરામચરિત'ની છાયાવાળું “સીતા-વનવાસ' નાટક પણ રચેલું અને એ અનેક સ્થળે ભજવાયું હતું. કવિનાં કેટલાંક પ્રસિદ્ધિ પામેલાં કાવ્યો એમાં હતાં. થોડાક પ્રકીર્ણ ગદ્યલેખો પણ એમણે લખ્યા હતા. “મેઘદૂતનો આ કવિએ અનુવાદ કર્યો હોવાનું કિલાભાઈ ઘનશ્યામે એમના મેઘદૂત'ના અનુવાદની પ્રસ્તાવનામાં નોંધ્યું છે. લલિતનાં કાવ્યોમાં સ્નેહ અને ગૃહજીવનના ભાવોનું માધુર્વ વિપુલ પ્રમાણમાં નિરૂપાયું છે. સ્ત્રીહૃદયની ભાવસૃષ્ટિનું એમાં વિવિધ રીતે પ્રતિબિબ ઝિલાયું છે. બેટાદકરની જેમ ગુણિયલ ગૃહદેવીને આદર્શ એમણે ગાયો છે અને મીઠલડું મહિયર મેલીને પરને પ્રિય કરવા સ્વાર્પણ-સ્વાશ્રયનું જીવન જીવી, સ્ત્રીને પ્રસન્નતા રેલાવવાની સલાહ આપી છે; ન્હાનાલાલની જેમ જીવનને ઉચ્ચ બનાવતા પ્રેમનુંદામ્પત્યભાવનું મહત્ત્વ દર્શાવી, “પ્રણયવેણુ' વાગવાથી પ્રફુલ્લ થતા પ્રાણી, રસથી ઊભરાતા હૃદયની ભાવોમિઓ કવિએ ગાઈ છે. કવિને “સ્નેહનાં સ્મરણ” વહાલાં લાગે છે, એનાં વિવિધ રૂપોને તે વદે છે. “વિચાર-પરંપરામાં પ્રણય પર દૃઢ શ્રદ્ધા દર્શાવતાં કહે છે? મને આશો કે બુદબુદ સમા જો ! ઉછળતા : વિયોગે, સંગે, સમવિષમ ભાવ વિચરતા ! પરંતુ હૈયાની સરલ ૪ શ્રદ્ધા પ્રણયની, ક્લાથી વાત્સલ્ય વિરલતર આદશ રચતી. સેકતે કરે મઢુલી વીજળી સમ ઉજળી' જેવી પંક્તિઓમાં એમના દાંપત્ય હગીતા વર્ણવાઈ છે. પ્રથમ કવિતા સ્લરી પહેલાં દીઠાં તમને જ રાસમાલિકત કો” અને “વ્હાલપના ભાવ” એમની કવિતાના પ્રેરક-પષક સમયના અન્ય કવિ પ્રીતિગંગાને પ્રભુની કરુણ કહી, એની પ્રભુતાનાં ગાન સરળતાથી અનેથી જ કવિ “પ્રભુપદ સહ વિચરનાર “નારી તું નારાયણીને મેઘદૂત'ને અનુવાદ પ્રેમની ભાવબિંદુમાંથી આવી અનેક રચનાઓ પ્રસ્ત્રવી કર્યા છે. અને ભાગવતાં વિરહની મનોદશાને “વિજોગણ વાંસલડી' નામની આ ગાળામાં જેમભિવ્યક્તિ મળી છે:
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy