SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૦૩ દ્વારા વધુ સચોટ રીતે આપી શકાય. ગીતાએ સ્થિતપ્રજ્ઞ, ભક્ત અને ગુણાતીતનાં સુરેખ ચિત્રો આપ્યાં છે. અખો ઘણુંખરું કડવાને અંતે સેવો હરિ-ગુરુ-સંતને એ શબ્દો મૂકે છે. એ ત્રણનો નિર્દેશ કરવા કરતાં વધુ તો એ હરિગુરુ=સંત એ સમીકરણ સૂચવે છે. નિત્ય રાસ નારાયણનો જોતા ભક્તજનનું અખાનું ચિત્રણ (૧૧.૩-૧૦) ગુજરાતી કવિતાસાહિત્યનું એક રત્ન છે : ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયા ધરે : ‘સ્વામી મારો રહ્યો સઘળે', અહર્નિશ ચિંતન એ કરે. ભુવન ત્રણમાં રહ્યો પૂરી પૂરણ સ્ટૅ પરમાતમાં, પોતે તે પિઉજી નિરંતર, ભેદ દેખું, હું ભાતમાં. મારો રામ રમે છે સર્વ વિષે,'—એમ હેતે હીસે મંન, હરિ કહે, હરિ સાંભળે, હરિને સોંપે તેન. નિત્ય રાસ નારાયણનો દેખે તે અનંત અપાર, જ્યાં જેવો ત્યાં તેવો નારાયણ નર-નાર. ગદગદ કંઠ ગાતે થકે રોમાંચિત હોયે ગાત્ર, હર્ષ સુ હેત હૃદે, પ્રેમ કેરું તે પાત્ર. નવનીત સરખું હ્રદે કોમલ, કહ્યું ન જાયે હેત, આંખમાં અમૃત ભર્યું, ભક્તિ કેરું તે ક્ષેત્ર. ખાતો પીતો બોલતો દેખે તે સઘળે રામ, વધું મન રહે તેહનું શિથિલ સંસારી કામ. જ્યમ જાર-લુબધી જુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ, અહર્નિશ રહે આલોચતી, ભાઈ, એવું મન હરિદાસ. જીવન્મુક્ત બાહ્ય ઉપાધિઓમાં “ભળ્યા સરખા ભાવ દેખાડે છે પણ અળગા રહેવાની “અકલ કલા મહંતને' છે એ અનેક માર્મિક દૃષ્ટાંતોથી અખો દર્શાવે છે. મહામત્યનું દૃષ્ટાંત ગતિશીલ અને ઊર્જિત છે : જ્યમ મહાજલ માંહેનો મકર મોટો તે અંબુધ મધ્ય આઘો રહે, ઊંચો આવીને અલ્પ વરતે, વળી મહાનિધ જાતો રહે. (૧૩.૬) નિર્ગુણ બ્રહ્મ એ જ સગુણ સંતરૂપે વિચરી રહે છે : “પ્રત્યક્ષ રામ તે તત્ત્વવેત્તા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy