SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેશ્વર પ્રત્યે રાગ હતો એથી એને જગત અને જીવન પ્રત્યે, સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો. ‘પુણ્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.' ૫રમેશ્વરના અનુભવની પ્રથમ ક્ષણથી જ એક માત્ર પરમેશ્વર જ અમૃત છે. આનંદ છે, ધ્રુવ છે, અનશ્વર છે; જગત અને જીવન, સંસાર મૃત્યુ છે, દુઃખમય છે, પરિવર્તનશીલ છે, નશ્વર છે એવી મીરાંને પ્રતીતિ હતી. એથી જ એણે લગ્ન, પતિ, પદ, પ્રતિષ્ઠા, ધન, સત્તા, કીર્તિ-સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. કુટુંબ, સમાજ, સ્વદેશનો ત્યાગ કર્યો હતો. ગોકુલથી દ્વારિકાની ભૂમિ એ કૃષ્ણની લીલાભૂમિ હતી, વિહારભૂમિ હતી, એ કૃષ્ણભૂમિ હતી છતાં મેવાડ, મેડતા, વૃન્દાવન, દ્વારિકામાંથી મીરાં નિર્વાસિત હતી, સ્વેચ્છાએ નિર્વાસિત હતી. ગોકુલ તજુંગી મેં મથુરા તજુંગી, તજુંગી મેં વ્રજ કેરો દેશ.' સમાજ, રાજ્ય અને ધર્મનાં બંધનમાં મીરાં બદ્ધ ન હતી, સ્થળ અને કાળની સીમામાં મીરાં સીમિત ન હતી. મીરાં આ પૃથ્વી ૫૨ નિર્વાસિત હતી, ચિરનિર્વાસિત હતી. મીરાં પરમેશ્વર નામના પ્રદેશની નાગરિક હતી. પરમેશ્વર મીરાંનો સ્વેદશ હતો. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અર્થે રૂઢિભંગ, પ્રણાલિકાભંગ અને ક્રાંતિ દ્વારા એ કુલનાશીનું બિરુદ પામી હતી, એ બદનામી અને હાંસી પામી હતી. આ રજપૂતાણીએ જીવનભરનું, ક્ષણ ક્ષણનું જૌહર રચ્યું હતું. આ મેડતણીએ જીવનભર, ક્ષણે ક્ષણનું બળીને સતીત્વ પ્રગટ કર્યું હતું. ૫રમેશ્વર મીરાંનો ઈલમ હતો, પરમેશ્વર મીરાંનું શૂર હતું, પરમેશ્વર મીરાંની મિરાત હતી, મોટી મિરાત હતી. પરમેશ્વર મીરાંની નિરાંત, મોટી નિરાંત પણ હતી. સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસના શબ્દોમાં live in this world as though there were in it but God and thy soul.' ‘આ જગતમાં જાણે કે એક માત્ર પરમેશ્વર અને તારો આત્મા જ છે એમ આ જગતમાં જીવજે.' એથી જ મીરાંની પ્રતીતિ હતી, પ્રતિજ્ઞા હતી કે વર તે વિઠ્ઠલવર, અવર તે અવ૨. મીરાંનાં કેટલાંક પદમાં એનું સૂચન છે : ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે એવી છે ભક્તિ અમારી' મહિય૨ તજ્યું ને તજજ્યું સાસરિયું' જીવનો સાથી હિ૨ વિણ કોઈ નથી.’ મી ૩૪૧ શું રે કરવું સુન્દર શ્યામ, બીજાને મારે શું કરવું?” ધ્યાન ધણી કેરું ધરવું રે, બીજું મારે શું કરવું? ‘અમર ચૂડલો પહેરી માટે વરવું છે' ‘અમર ચૂડલો લઈને મારે ફરવું છે' ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂર્વે રે રંગબેરંગી હોય, ઓઢું હું કાળો કામળો દૂજો ડાઘ ન લાગે કોય'
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy